કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. રવિવારે સાંજે અમિત શાહ સુભાષબ્રિજ ખાતે આવેલા બત્રીસી હોલમાં નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા. કાર્યકર્તા સંમેલનમાં નારણપુરાના સૌથી જુના કાર્યકર્તા અને અમિત શાહે સૌથી જુના સંઘ વખતના કાર્યકર્તા રતિલાલ પટેલ સહિત ધારાસભ્ય જીતુ ભગત, હર્ષદ પટેલ અને પૂર્વ મેયર ગૌતમ શાહની સાથે ગૃહ મંત્રીએ ભોજન લીધું હતું.
લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા. તેઓએ સૌ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. કાર્યકર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, ખરેખર મને ઓળખ્યા પછી મત આપવો બહું અઘરો હોય અને મને ઓળખ્યા પછી મારા માટે કામ કરવું એ એનાથી પણ અઘરું છે. પરંતુ તમે સૌએ કમળનું નિશાન અને આપણા નેતા નરેન્દ્રભાઇ તેમજ ભારતનું કલ્યાણ આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી ખૂબ મોટી લીડથી જીતાડ્યો તેના માટે સૌ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ વિસ્તારમાં ભાજપની શરૂઆત થઈ ત્યારે પણ હું કાર્યકર્તા હતો.
હસમુખભાઈ પેટા ચૂંટણી હાર્યા અને એ વખતે નવા નવા કાર્યકર્તા બન્યા હતા. બાદમાં હસમુખભાઈ ફુલ પેનલમાં જીત્યા હતા. નારણપુરામાં પણ નરહરિભાઈની સામે આપણે વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાંથી ભાજપની અજેય શરૂઆત થઈ હતી. અનેક કોર્પોરેટરોને પણ હું જાણું છું. આર. ડી દેસાઈનું નામ લેતાં તેઓએ કહ્યું હતું. સોસાયટીનું નામ લઈએ એટલે તેના ચેરમેનનું નામ યાદ હોય. અનેક કોર્પોરેટરો અને ધારાસભ્યોએ ખંતપૂર્વક કામ કર્યું છે. વિકસતા વિસ્તારને વિકસે તેઓ વિસ્તાર બનાવી દીધો છે.