રાજ્ય સરકારે સ્કૂલોમાં યોજાતા પ્રવાસ મામલે એક મોટો નિર્ણય લીધો છે. નવી ગાઈડલાઈન ન આવે ત્યા સુધી સ્કૂલોમાં પ્રવાસ બંધ રહેશે. શાળાઓ દ્વારા વર્ષમાં એકવાર વિદ્યાર્થીઓને પ્રવાસ પર અચૂક લઇ જવાતા હોય છે.. આ દરમ્યાન વિદ્યાર્થીઓની સલામતી ખુબજ મહત્વપૂર્ણ બની જાય છે.. ઘણીવાર એવું બનતું જોવા મળ્યું છે કે વિદ્યાર્થીઓની સલામતીને લઇને યોગ્ય તકેદારી ન રાખવાને કારણે દુર્ઘટના ઘટતી હોય છે. જેથી હવે સલામતી માટે નવા નિયમો બનાવવાનું નક્કી કરાયું છે.
સરકાર દ્વારા સ્કૂલ પ્રવાસની નવી ગાઇડલાઇન લાગુ કરાશે, અને આ નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી સ્કૂલોમાં પ્રવાસ બંધ રહેશે. નવા પરિપત્ર બાદજ પ્રવાસની મંજૂરી અપાશે. કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા તમામ DEOને આદેશ કરાયા છે.