Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારે ભારત સામે બાંયો ચડાવી

તિસ્તા જળ વિવાદને આંતરરાષ્ટ્રીય મંચ લઈ જશે, રિઝવાનાએ કહ્યું, અમે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવીશું, પરંતુ અમારી માંગણીઓ પણ ઉઠાવીશું

dharmendravaghela by dharmendravaghela
2024-08-23 11:49:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં શેખ હસીનાની વિદાય બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં રચાયેલી વચગાળાની સરકારે ભારત સામે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. નવી સરકારે હવે તિસ્તા જળ વિવાદને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાની વાત કરી છે. એક રિપોર્ટ પ્રમાણે જળ અને પર્યાવરણ મંત્રી રિઝવાના હસને કહ્યું કે બાંગ્લાદેશ તિસ્તા જળ વિવાદના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય મંચ પર જવા પર વિચાર કરશે.
બાંગ્લાદેશના જળ અને પર્યાવરણ મંત્રી રિઝવાના હસને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનું નામ લઈને કહ્યું કે, મોહમ્મદ યુનુસની સરકાર બંને દેશો વચ્ચે નદીઓને લગતા મુદ્દા ઉઠાવશે. મમતા બેનર્જીનું પાણી ન આપવાનું નિવેદન પણ યાદ અપાવ્યું. તેમણે કહ્યું કે અમે તિસ્તાના પાણી મુદ્દે પીછેહઠ નહીં કરીએ. નવી દિલ્હી સાથે પણ ચર્ચા કરીશું. અમને પાણી મળશે કે નહીં તે અમારા હાથમાં નથી, પરંતુ આ મુદ્દો જરૂરથી ઉઠાવવામાં આવશે.
રિઝવાનાએ કહ્યું, અમે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવીશું, પરંતુ અમારી માંગણીઓ પણ ઉઠાવીશું. સાથે જ દાવો કર્યો કે, બાંગ્લાદેશને પાણી સંબંધિત બાબતો પર ચર્ચા કરવા માટે ચીન સહિત ઘણા દેશો તરફથી આમંત્રણ મળ્યું છે. આ અંગે ટૂંક સમયમાં ભારત સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે. રિઝવાનાએ 1996ના ગંગા જળ વહેંચણી કરાર વિશે વાત કરતા કહ્યું કે, શેખ હસીના સમયમાં કરાયેલા આ કરારના નવીકરણ માટે ફરીથી વાટાઘાટો કરવી પડશે. સપ્ટેમ્બર 2022માં કુશિયારા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં 1996ના ગંગા કરાર બાદ સહિયારી નદીઓ અંગેના કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

Tags: Bangladeshparyavaran ministerrizawana hasantista water
Previous Post

નીરજ ચોપરાએ ફરી રેકોર્ડ તોડ્યો : ડાયમંડ લીગમાં બીજું સ્થાન

Next Post

વક્ફ બોર્ડ બિલ પર છ કલાક સુધી ચાલેલી જેપીસીની બેઠકમાં ઉકેલ નહિ!

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
વક્ફ બોર્ડ બિલ પર છ કલાક સુધી ચાલેલી જેપીસીની બેઠકમાં ઉકેલ નહિ!

વક્ફ બોર્ડ બિલ પર છ કલાક સુધી ચાલેલી જેપીસીની બેઠકમાં ઉકેલ નહિ!

કેન્દ્ર સરકારે 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન દવાઓ પર મૂક્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન દવાઓ પર મૂક્યો પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.