આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ હેઠળ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે નવી વંદે ભારત ટ્રેનની શરૂઆત રેલ સેવાનું નવું ધોરણ સ્થાપિત કરશે, જે નિયમિત પ્રવાસીઓ, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થી સમુદાયોની જરૂરિયાતોને પૂરી કરશે.
આ વંદે ભારત ટ્રેનો ત્રણ રૂટ – મેરઠ-લખનૌ, મદુરાઈ-બેંગલુરુ અને ચેન્નાઈ-નાગરકોઈલની કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે. મેરઠ સિટી-લખનૌ વંદે ભારત ટ્રેન બે શહેરો વચ્ચેની વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં મુસાફરોને લગભગ એક કલાક બચાવશે. એ જ રીતે, ચેન્નાઈ એગ્મોર-નાગરકોઈલ અને મદુરાઈ-બેંગલુરુ વંદે ભારત ટ્રેનો બે કલાકથી વધુ સમયમાં મુસાફરી પૂરી કરશે અને લગભગ 90 મિનિટની બચત કરશે. નવી વંદે ભારત ટ્રેનો ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના લોકોને ઝડપ અને આરામ સાથે મુસાફરીનું વિશ્વ-સ્તરીય સાધન પ્રદાન કરશે.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે નવી વંદે ભારત ટ્રેનની શરૂઆત રેલ સેવાનું નવું ધોરણ સ્થાપિત કરશે, જે નિયમિત પ્રવાસીઓ, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થી સમુદાયોની જરૂરિયાતોને પૂરી કરશે. ભારતની સૌપ્રથમ સ્વદેશી રીતે ડિઝાઈન કરેલી અને બનેલી, અર્ધ-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન મુસાફરોને આધુનિક અને આરામદાયક રેલ મુસાફરીનો અનુભવ આપે છે.