Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર :રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતને સતર્ક રહેવાની જરૂર છે, યુક્રેન, રશિયા અને ગાઝાનો ઉલ્લેખ કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-09-07 11:58:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

‘ભારત શાંતિપ્રેમી રાષ્ટ્ર છે, પરંતુ શાંતિ જાળવી રાખવા માટે સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. ભવિષ્યના યુદ્ધ અને પડકારોનો સામનો કરવા માટે અત્યારથી જ તૈયારીઓ કરવી પડશે. વૈશ્વિક અસ્થિરતા છતાં ભારતમાં શાંતિ છે, પરંતુ આપણે સાવચેત રહેવાની જરૂર છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે લખનઉમાં જોઈન્ટ કમાન્ડર્સની કોન્ફરન્સમાં આ વાત કહી હતી. રશિયા-યુક્રેન, ઈઝરાયલ-હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન અસ્થિર સ્થિતિનો ઉલ્લેખ કરતાં સંરક્ષણમંત્રીએ કમાન્ડરોને આ ઘટનાઓનું વિશ્લેષણ કરવા જણાવ્યું હતું.
રક્ષામંત્રીએ કહ્યું- દેશની ઉત્તરી સરહદ પરની સ્થિતિ અને પાડોશી દેશોમાં થઈ રહેલી ઘટનાઓ શાંતિ અને સ્થિરતા માટે પડકાર બની રહી છે. આ અંગે ટોચના સૈન્ય નેતૃત્વનું વિશ્લેષણ કરવાની જરૂર છે. વૈશ્વિક અસ્થિરતા છતાં ભારત શાંતિપૂર્ણ રીતે વિકાસ કરી રહ્યું છે. જોકે પડકારોને ધ્યાનમાં રાખીને આપણે સાવચેત રહેવાની જરૂર છે. અમૃતકાળ દરમિયાન આપણે આપણી શાંતિ જાળવીએ એ મહત્ત્વનું છે.
રાજનાથ સિંહે પૂર્વ લદ્દાખમાં 4 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથેના સરહદ વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો અને પરિસ્થિતિના સંપૂર્ણ વિશ્લેષણ પર ભાર મૂક્યો હતો. રાજનાથે કહ્યું- આપણે આપણા વર્તમાન પર ધ્યાન આપવું પડશે. અત્યારે આપણી આસપાસ બનતી ગતિવિધિઓ પર નજર રાખવાની જરૂર છે. આ માટે આપણી પાસે મજબૂત રાષ્ટ્રીય સુરક્ષા ઘટક હોવું જોઈએ. આપણી પાસે તમામ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. રક્ષામંત્રીએ કમાન્ડરોને સશસ્ત્ર દળો માટે હાઇટેક હથિયારોનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

Tags: indiaindian army alert for warrajnath singh
Previous Post

BJP કહેશે તો વિનેશ-બજરંગ વિરુદ્ધ પ્રચાર કરીશ : બ્રિજભૂષણ

Next Post

જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા:

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા:

જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા:

આંધ્રપ્રદેશમાં 2.75 લાખથી વધુ લોકો બેઘર

આંધ્રપ્રદેશમાં 2.75 લાખથી વધુ લોકો બેઘર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.