Thursday, January 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

રાજ્યના 119 ડેમ છલોછલ

વરસાદ પહેલા 86 ડેમ તળિયાઝાટક હતા, નર્મદા ડેમ 90 ટકા ભરાયો

dharmendravaghela by dharmendravaghela
2024-09-14 11:45:02
in તાજા સમાચાર, પ્રાદેશિક

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયાને ત્રણ મહિનાનો સમય વીતી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ મહિના દરમિયાન ધોધમાર વરસાદે ડેમમાં પાણીની સ્થિતિ પણ બદલી નાખી છે. રાજ્યના 207 ડેમમાંથી ત્રણ મહિના પહેલા 86 ડેમ તળિયાઝાટક હતા તેની સામે આજે 119 ડેમ તો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય ડેમમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઈ ચૂકી છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા અને ઉકાઈ ડેમમાં બે વર્ષ ચાલે તેટલું પાણી આવી ચૂક્યું છે. હાલ બંને ડેમમાંથી રૂલ લેવલ જાળવવા તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં 11 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હતો. તે પહેલા રાજ્યમાં આવેલા 207માંથી 86 ડેમ ખાલીખમ્મ હતા. વણાકબોરી, ધોળીધજા અને મચ્છુ-3 ડેમ એવા હતા કે જેમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો. જ્યારે 118 ડેમમાં 10 ટકાથઈ લઈ 90 ટકા સુધીનો પાણીનો જથ્થો હતો.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જેને લોકો નર્મદા ડેમથી પણ ઓળખે છે તેમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. સરદાર સરોવરમાં 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ચોમાસુ બાકી હોય અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક થવાની શક્યતા હોય રાજ્યનો જીવાદોરી સમાન આ ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાં રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તો રાજ્યના 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે.
ગુજરાતમાં સરદાર સરોવર પછી બીજા ક્રમે આવતા ઉકાઈ ડેમમાં પણ પાણીનો નોંધપાત્ર સંગ્રહ થઈ ચૂક્યો છે. ઉકાઈ ડેમમાં 86.31 ટકાનો જળસંગ્રહ છે. રૂલ લેવલ જાળવવા માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં આગામી બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
દાહોદ, ભરૂચ અને નવસારી જિલ્લામાં આવેલા ડેમોમાં તેની સંગ્રહ ક્ષમતાના 100 ટકા પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. આ તમામ જિલ્લામાં હજી પણ વરસાદ વડી રહ્યો હોય પાણી નદીમાં વહી રહ્યું છે. તો બીજી તરફ છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, સુરત, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી અને રાજકોટ જિલ્લમાં આવેલા ડેમોમાં સરેરાશ 90 ટકા પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. જ્યારે બાકી રહેતા અન્ય ડેમમાં હજી 80 ટકા કરતા ઓછું પાણી છે.

ઉત્તર ગુજરાત પર હજી પણ ચિંતાના વાદળો ઘેરાયેલા
રાજ્યમાં 11 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 106 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ, ઉત્તર ગુજરાત ઝોનમાં આવતા અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ડેમમાં હજી સરેરાશ 61.65 ટકા પાણીનો જ સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓના ડેમોમાં સૌથી વધુ 94.13 ટકા, કચ્છ ઝોનના ડેમોમાં 86.33 ટકા, સૌરાષ્ટ્ર ઝોનના 11 જિલ્લાઓના ડેમોમાં 86.24 ટકા અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓના ડેમોમાં 84.30 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

Tags: damgujaratovweflow
Previous Post

ભાવનગરમાં માનસ કીર્તિ બંગલોઝ ખાતે આયોજિત ગણેશ મહોત્સવનું સમાપન

Next Post

એક અઠવાડિયું ભાદરવાનો આકરો તાપ ખમવા તૈયાર રહો

dharmendravaghela

dharmendravaghela

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
એક અઠવાડિયું ભાદરવાનો આકરો તાપ ખમવા તૈયાર રહો

એક અઠવાડિયું ભાદરવાનો આકરો તાપ ખમવા તૈયાર રહો


Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર : સેનાના 2 જવાન શહીદ, 2 ઘાયલ

કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર : સેનાના 2 જવાન શહીદ, 2 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.