દેશના ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 15થી 17 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ વડાપ્રધાન ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
16 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગ્રાઉન્ડમાં સંબોધન કરશે.વડાપ્રધાનની મુલાકાતને લઈને હાલ ચાર વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પણ થઈ ગઈ છે. તેમજ લોકો વચ્ચે જઈ પીએમ મોદી અભિવાદન પણ ઝીલશે.
ક્લસ્ટરમાં અથી લઇ ઉ સુધીના કુલ 16-16 બ્લોક અમદાવાદ શહેર GMDC ગ્રાઉન્ડ ખાતે ચાર મોટા વોટરપ્રૂફ વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યનાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી લોકો આવવાના હોવાથી 4 જેટલા અલગ અલગ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં ક્લસ્ટર મુજબ વિવિધ શહેરો અને જિલ્લાના લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ક્લસ્ટરમાં અથી લઇ ઉ સુધીના કુલ 16 બ્લોક બનાવવામાં આવ્યા છે. જેમાં એક બ્લોકમાં અંદાજે 1,000થી 1200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
દૂરદર્શન ટાવર ખાતે હેલિપેડ પણ બનાવવામાં આવી રહ્યું છે. પીએમ મોદી ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટરમાં આવવાની શક્યતા છે. જો કે અંતિમ સમયે તેમાં ફેરફાર થાય તો ગાંધીનગરથી તેઓ કારમાં પણ આવે એવી સંભાવના છે.16મીએ 12 વાગ્યાથી દૂરદર્શનથી લઈને જીએમડીસી ગ્રાઉન્ડ સુધીનો અને ચારેય બાજુના આસપાસ રોડ પણ બંધ રહેશે.