Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં 20મીએ ક્ષત્રિયોનું મહાસંમેલન : સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થશે

પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે.

dharmendravaghela by dharmendravaghela
2024-09-18 11:38:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્યથી સંગઠન ઊભું થવા જઈ રહ્યું છે. 20 સપ્ટેમ્બર શુક્રવારે અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપુત ભવન ખાતે ગુજરાતના રાજા રજવાડાઓથી લઈ તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજવા જઈ રહ્યું છે. આ સમારોહમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થશે. જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. તેવું રાજપુત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયાએ જણાવ્યું છે.
રાજપુત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, દેશને એક કરવા માટે ક્ષત્રિય રાજાઓએ પોતાના રાજા રજવાડા દાનમાં આપી દીધા હતા. ગુજરાતમાં 225થી વધારે રાજા રજવાડાઓ અને ક્ષત્રિય સમાજની અનેક સંસ્થાઓ છે. ક્ષત્રિય સમાજ હાલ અલગ અલગ વાડાઓમાં સંકળાયેલો છે. ક્ષત્રિય સમાજને એક કરવા અને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી મહા સંગઠન બનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના ગોતા ખાતે આવેલા સ્વ. હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપુત ભવન ખાતે 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના તમામ રાજા રજવાડાઓના મહારાજા તેમજ ક્ષત્રિય સમાજની સંસ્થાઓના આગેવાનોનું ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું છે.
આ સંમેલનમાં રાજા રજવાડાઓથી લઇ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ લોકો અને સંસ્થાઓના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્ષત્રિયોને સંગઠિત હવે થવાની જરૂરિયાત છે. “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ” નામના સંગઠનની જાહેરાત કરવામાં આવશે જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજ સિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના ભવ્ય સંમેલનમાં તમામ રાજા રજવાડાઓથી લઈ સંસ્થાના આગેવાનો જોડાશે અને સમાજમાં ચાલતા કુરિવાજો અને કેટલીક પ્રથાઓને દૂર કરવાથી લઈ ક્ષત્રિયોને તમામ ક્ષેત્રોમાં આગળ આવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે.

Tags: gujaratsamast shakti asmita manchsammelan
Previous Post

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 24 બેઠકો પર મતદાન શરૂ

Next Post

અમેરિકામાં મોદીને મળવા માટે 20 દિવસ પહેલાં જ બુકિંગ ફુલ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
અમેરિકામાં મોદીને મળવા માટે 20 દિવસ પહેલાં જ બુકિંગ ફુલ

અમેરિકામાં મોદીને મળવા માટે 20 દિવસ પહેલાં જ બુકિંગ ફુલ

ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ

ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.