Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ

મહાકુંભ માઈભક્તોથી છલકાયો, છ દિવસમાં 27 લાખ ભક્તોએ માતાજીનાં દર્શન કર્યાં

dharmendravaghela by dharmendravaghela
2024-09-18 11:40:24
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભાદરવી સુદ આઠમ તારીખ 12 સપ્ટેમ્બરથી શરુ થયેલો ભાદરવી મહાકુંભનો આજ છેલ્લો દિવસ છે. આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો અંબાજી મંદિરે જોવા મળી રહ્યો છે. સવારે 6 વાગ્યે માતાજીની મંગળા આરતીમાં ‘બોલ માડી અંબે જય જય અંબે’નો નાદ કરતા કરતા મોટી સંખ્યામાં ભક્તો જગતજનની મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
પૂનમને લઈ અનેકો સંઘો અને પદયાત્રીઓએ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. 7 દિવસના મહામેળામાં 6 દિવસ દરમિયાન 27 લાખ જેટલા ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે. ત્યારે આજે પણ ભક્તો અવિરતપણે માતાજીના દર્શન કરવા અને માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરવા ઉમટી રહ્યા છે. મેળામાં કાર્યરત વિવિધ વિભાગો દ્વારા આજે ભાદરવી મહાકુંભ નિર્વિઘ્ને સંપન્ન થતાં મંદિરના શિખરે ધજા ચઢાવી માતાજીનો આશીર્વાદ લેશે.
આજે મહામેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ભાદરવી મહાકુંભમાં 6 દિવસમાં 26,92,063 ભક્તોએ દર્શન કર્યા છે. તેમજ 6 દિવસમાં 4,41,651 લોકોએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો હતો. આ સાથે 16,61,501 મોહનથાળના પેકેટ અને 30,366 ચિકીના પેકેટનું વેચાણ થયું છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન 6 દિવસમાં 2781 ધજા મંદિરના શિખર પર ચઢાવી હતી. તો ભંડાર, ગાદી, ભેટ કાઉન્ટર, સહિતની કુલ 6 દિવસની આવક 2 કરોડ 28 લાખ 98 હજાર આવી છે.

Tags: ambajibhadaravi poonam
Previous Post

અમેરિકામાં મોદીને મળવા માટે 20 દિવસ પહેલાં જ બુકિંગ ફુલ

Next Post

મહાદેવ એપનો ભાગીદાર બાલમુકુંદ દુબઈ ભાગે તે પહેલાં અમદાવાદ એરપોર્ટથી ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મહાદેવ એપનો ભાગીદાર બાલમુકુંદ દુબઈ ભાગે તે પહેલાં અમદાવાદ એરપોર્ટથી ધરપકડ

મહાદેવ એપનો ભાગીદાર બાલમુકુંદ દુબઈ ભાગે તે પહેલાં અમદાવાદ એરપોર્ટથી ધરપકડ

જ્ઞાનવાપી કેસમાં કોર્ટે સમગ્ર સંકુલના સર્વેની અરજી ફગાવી

જ્ઞાનવાપી કેસમાં કોર્ટે સમગ્ર સંકુલના સર્વેની અરજી ફગાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.