Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદીને મળેલી ભેટની ઈ-હરાજી શરૂ : નમામિ ગંગે પ્રોજેક્ટ પર નાણાં

સૌથી વધુ કિંમત સિલ્વર મેડલ વિજેતા નિષાદ કુમારના શૂઝની

dharmendravaghela by dharmendravaghela
2024-09-20 11:19:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન મોદીને મળેલા સ્મૃતિચિહ્નો અને ભેટની વસ્તુઓની ઈ-હરાજી 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે 19 સપ્ટેમ્બરે PM દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. છ વર્ષમાં પ્રથમ વખત ઓછામાં ઓછી 600 વસ્તુઓની હરાજી થશે. તેમની મૂળ કિંમત રૂ. 600 થી રૂ. 10 લાખની આસપાસ છે.
PM મોદીએ X પર લખ્યું છે કે, તમને જે પણ સ્મૃતિચિહ્ન અને ભેટની વસ્તુ ગમે છે, તે ચોક્કસ ખરીદો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ કહ્યું કે આ હરાજી 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. ઈતિહાસને સાચવવા ઉપરાંત તે લોકોની સુખાકારીમાં પણ ફાળો આપે છે. પહેલી હરાજી જાન્યુઆરી 2019માં થઈ હતી. અત્યાર સુધીમાં ઈ-હરાજીમાં 7000થી વધુ ગિફ્ટ મૂકવામાં આવી છે.
આ વખતે 2024 પેરાલિમ્પિક ગેમ્સ (કેપ્સ, શૂઝ) સંબંધિત વસ્તુઓ પણ ઈ-હરાજીમાં સામેલ છે. પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર નિષાદ કુમારના શૂઝની કિંમત 10 લાખ રૂપિયા છે. આ સાથે પરંપરાગત આર્ટવર્ક, પ્રાદેશિક આર્ટવર્ક, હેન્ડીક્રાફ્ટ અને સ્પોર્ટસ સંબંધિત વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રામ મંદિરનું મોડલ પણ હરાજી માટે મુકવામાં આવ્યું છે. આ PM મોદીને આપવામાં આવ્યા હતા. તમામ સ્મૃતિચિહ્નો દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

Tags: e-auctionindiamodi's gift
Previous Post

અમેરિકાની કોર્ટે ભારત સરકારને સમન્સ પાઠવ્યું : પન્નુએ હત્યાના કાવતરાનો કેસ દાખલ કર્યો

Next Post

મણિપુરના લોકોને CRPF કેન્ટીનમાં સામાન મળશે

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
મણિપુરના લોકોને CRPF કેન્ટીનમાં સામાન મળશે

મણિપુરના લોકોને CRPF કેન્ટીનમાં સામાન મળશે

પેજર્સ વિસ્ફોટોને હિઝબુલ્લાહ ચીફ નસરુલ્લાહે યુદ્ધની ઘોષણા ગણાવી

પેજર્સ વિસ્ફોટોને હિઝબુલ્લાહ ચીફ નસરુલ્લાહે યુદ્ધની ઘોષણા ગણાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.