Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોઈપણ ઘટના કે દુર્ઘટના માટે આયોજકની જવાબદારી રહેશે, પારદર્શક કપડાં પહેરીને આવનાર ખેલૈયાને પ્રવેશ નહીં

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગરબાના આયોજકો માટે 30 નિયમની ગાઈડલાઈન

dharmendravaghela by dharmendravaghela
2024-09-28 11:34:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આગામી 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી લોકો ગરબે રમતા જોવા મળશે. સોસાયટીઓ, ફ્લેટો, પાર્ટી પ્લોટ અને ક્લબ દરેક જગ્યાએ નવરાત્રિના ગરબાનું આયોજન થતું હોય છે ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈ ઘટના કે દુર્ઘટના ન બને તે હેતુસર સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. દરેક ગરબાના આયોજકે ગાઈડલાઈનોનું પાલન કરવાનું રહેશે. ખેલૈયાઓ પારદર્શક કે અશ્લીલતા ઉજાગર થાય એવા કપડાં પહેરીને ગરબા સ્થળે ગરબા રમવા માટે આવી શકશે નહીં. ગરબા સ્થળે કોઈપણ વ્યક્તિ બેગ કે અન્ય ચીજવસ્તુઓ ગરબાના સ્થળ ઉપર લઈ જવા ન દેવા માટેની સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે. પોલીસે આયોજકો માટે 30 નિયમની ગાઈડલાઈન બનાવી છે.
નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરનાર આયોજકોએ અમદાવાદ શહેર પોલીસના લાયસન્સ શાખામાંથી પોલીસની પરમિશન લેવાની રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક અને લાઉડ સ્પીકર ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવશે. 12 વાગ્યા બાદ કોઈપણ લાઉડ સ્પીકર કે માઈકનો ઉપયોગ થશે તો આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ ઘટના કે દુર્ઘટના માટે આયોજકની જવાબદારી રહેશે. ગરબાના સ્થળ ઉપર જેટલી ક્ષમતા હોય તેટલા જ પાસ વેચવાના રહેશે. ક્ષમતા કરતાં વધુ પાસ વેચી શકાશે નહીં. દરેક ગરબા આયોજકે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ-અલગ રાખવાના રહેશે વધારે પ્રમાણમાં ગેટ રાખવાના રહેશે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ગેટ પર બ્રેથ એનલાઈઝર અને CCTV કેમેરા તેમજ મેટલ ડિટેક્ટર લગાવવાના રહેશે. ગરબા ગ્રાઉન્ડ કે સ્થળની આસપાસ ચારેય તરફ વોચ ટાવર ઉભા કરી ગરબાનું વીડિયો શૂટીંગ રોજ કરવાનું રહેશે. ક્લોઝ સર્કિટ કેમેરા પર લગાવવાના રહેશે. ગરબાના સ્થળની 200 મીટર કોઈપણ ટ્રાફિકજામ ન થાય તેના માટે આયોજકોએ વોલન્ટીયર અને સિક્યોરિટી રાખવાની રહેશે. આ તમામ જવાબદારી આયોજક પર મૂકવામાં આવી છે. ગરબા સ્થળ ઉપર સિક્યોરિટી ગાર્ડ, સ્વયંસેવકો, વોલન્ટીયર સહિતનો સ્ટાફ રાખવામાં આવે તે તમામ લોકોના ફોટા સાથે આઈકાર્ડ આપવાનું રહેશે. મોટા સ્ટેજ માટે PWDનું સર્ટિફિકેટ પણ મેળવવાનું રહેશે.

વાહન પાર્કિંગ કરવામાં આવે છે તે તમામ વાહનોના નંબર અને પ્રકારની રજિસ્ટરમાં નોંધ કરવાની રહેશે
ગરબાના સ્થળ અને પાર્કિંગ બંને વચ્ચે અંતર રાખવાનું રહેશે અને બેરિકેટ કરવાનું રહેશે. જે પણ વાહન પાર્કિંગ કરવામાં આવે છે તે તમામ વાહનોના નંબર અને પ્રકારની રજિસ્ટરમાં નોંધ કરવાની રહેશે. ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર, RC બુક અને પોલિસી અંગે પણ નોંધ કરવાની રહેશે. જે પણ લોકો ગરબા જોવા આવતા હોય અને ગરબા રમવાના હોય તે બંને વચ્ચે અંતર રાખી બેરીકેટિંગ કરવાનું રહેશે. જરૂરી મેડિકલ સુવિધા પણ ગરબાના આયોજન સ્થળે રાખવાની રહેશે. મહિલા અને પુરૂષના એન્ટ્રી ગેટ અલગ રાખી પ્રવેશ આપવાનો રહેશે. કોઈપણ અનિચ્છનીય બનાવ બને અથવા શંકાસ્પદ વસ્તુ જણાય તો પોલીસને જાણ કરવાની રહેશે.

ત્રીજા નોરતેથી મેટ્રો રાત્રે 2 સુધી દોડાવવામાં આવશે

નવરાત્રિમાં મેટ્રો રાત્રે 2 સુધી ચાલુ રાખવામાં આવશે. મેટ્રોના સત્તાવાળા આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરશે. ત્રીજી નવરાત્રિથી મેટ્રો રાત્રે 2 સુધી દોડાવવામાં આવશે. ગત વર્ષે પણ નવરાત્રિમાં રાત્રે 10 પછી મોડી રાત સુધી દર 20 મિનિટે મેટ્રો મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ હતી. ગત વર્ષે નવરાત્રિ દરમિયાન અંદાજે 5 લાખ લોકોએ મેટ્રોની સફર કરી હતી. શહેરના એક છેડેથી બીજા છેડે ગરબા રમવા જતાં લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને સલામત રીતે પાછા ફરી શકે તે માટે મેટ્રોની સમય મર્યાદા લંબાવીને રાત્રે 2 વાગ્યા સુધી કરવામાં આવશે.

Tags: ahmedabad policegujaratnavratri guideline
Previous Post

કોંગ્રેસની અનામત વિરોધી નીતિના વિરોધમાં ભાવનગરમાં ભાજપ દ્વારા ધરણા

Next Post

ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી મામલે હિન્દુ સંગઠનોને સુરત પોલીસ કમિશનરની ચેતવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી મામલે હિન્દુ સંગઠનોને સુરત પોલીસ કમિશનરની ચેતવણી

ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી મામલે હિન્દુ સંગઠનોને સુરત પોલીસ કમિશનરની ચેતવણી

શેરબજારના નામે 27 કરોડની છેતરપિંડી : પાડતાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ

શેરબજારના નામે 27 કરોડની છેતરપિંડી : પાડતાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.