સંયુકત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એક વખત કાશ્મીર રાગ આલપતા અને તેની સરખામણી પેલેસ્ટાઇન સાથે કરતા જ ભારતે આકરો જવાબ આપતા કહ્યું હતું કે, કાશ્મીરમાં જે રીતે ચૂંટણીઓમાં ધીંગુ મતદાન થઇ રહ્યું છે તે ભારતની અને આ રાજયની વાયબ્રન્ટ લોકશાહીનું દ્રષ્ટાંત છે પરંતુ લશ્કર જે દેશનું સંચાલન કરતા હોય (પાકિસ્તાન) તેને લોકશાહી અંગે બોલવાનો કોઇ અધિકાર નથી.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ગઇકાલે તેના સંબોધનમાં ભારત ઉપર દ્વિપક્ષી વાટાઘાટો માટે સંમત નહી થવા અને વારંવાર સર્જીકલ સ્ટ્રાઇકની ધમકી આપતા હોવાનું તથા આઝાદ કાશ્મીર (પાક. કબ્જાનું કાશ્મીર)નો કબ્જો લઇ લેવાની પણ ધમકી આપે છે અને કાશ્મીર ઉપર ભારતના દાવાને ગેરકાનુની ગણાવ્યું હતું. જોકે ભારતના કાયમી પ્રતિનિધિ ભાવિકા મંગલનંદનએ આકરો જવાબ આપ્યો હતો.
કહ્યું કે એ હાસયાસ્પદ છે કે 1971માં જેણે નરસંહાર કર્યો હતો (બાંગ્લાદેશ ઉલ્લેખ) અને જે આજે પણ પોતાના દેશમાં લઘુમતી પર અત્યાચાર કરે છે તેને અસહિષ્ણુતા અને ભય અંગે બોલવાની હિંમત કરે છે. શાહબાઝ શરીફને સીધો જવાબ આપતા જણાવ્યું કે પાકિસ્તાન દુનિયાભરમાં આતંકવા,દ નશીલી ડ્રગ્સની નિકાસ કરે છે અને દુનિયાભરમાં તે બદનામ છે અને તે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર પર હુમલાનું દુ:સાહસ કરી રહ્યું છે.
ભાવિકા મંગલનંદને પાકિસ્તાનને ધાંધલીવડા ચૂંટણીના ઇતિહાસ અને વર્તમાનની યાદ અપાવી હતી અને કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીમાં વિઘ્ન પહોંચાડવા સતત આતંકવાદનો ઉપયોગ કરે છે. પરંતુ ભારત આતંકવાદ સાથે સમાધાન કરી ન શકે અને સીમા પરના આતંકવાદ માટે પાકે. પરિણામે ભોગવવા પડશે. ભારતીય મહિલા પ્રતિનિધિનો આકરો જવાબ પાકિસ્તાનના કેમ્પને સ્તબ્ધ કરી ગયો હતો.