Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સીમા પરના આતંકવાદ માટે પાકે. પરિણામે ભોગવવા પડશે : સંયુકત રાષ્ટ્ર સંઘમાં ભારતે આપ્યો આકરો જવાબ

લશ્કર જે દેશને ચલાવતો હોય તેને લોકશાહી અંગે બોલવાનો કોઇ અધિકાર નથી : ભાવિકા મંગલનંદન

dharmendravaghela by dharmendravaghela
2024-09-28 12:30:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સંયુકત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એક વખત કાશ્મીર રાગ આલપતા અને તેની સરખામણી પેલેસ્ટાઇન સાથે કરતા જ ભારતે આકરો જવાબ આપતા કહ્યું હતું કે, કાશ્મીરમાં જે રીતે ચૂંટણીઓમાં ધીંગુ મતદાન થઇ રહ્યું છે તે ભારતની અને આ રાજયની વાયબ્રન્ટ લોકશાહીનું દ્રષ્ટાંત છે પરંતુ લશ્કર જે દેશનું સંચાલન કરતા હોય (પાકિસ્તાન) તેને લોકશાહી અંગે બોલવાનો કોઇ અધિકાર નથી.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ગઇકાલે તેના સંબોધનમાં ભારત ઉપર દ્વિપક્ષી વાટાઘાટો માટે સંમત નહી થવા અને વારંવાર સર્જીકલ સ્ટ્રાઇકની ધમકી આપતા હોવાનું તથા આઝાદ કાશ્મીર (પાક. કબ્જાનું કાશ્મીર)નો કબ્જો લઇ લેવાની પણ ધમકી આપે છે અને કાશ્મીર ઉપર ભારતના દાવાને ગેરકાનુની ગણાવ્યું હતું. જોકે ભારતના કાયમી પ્રતિનિધિ ભાવિકા મંગલનંદનએ આકરો જવાબ આપ્યો હતો.
કહ્યું કે એ હાસયાસ્પદ છે કે 1971માં જેણે નરસંહાર કર્યો હતો (બાંગ્લાદેશ ઉલ્લેખ) અને જે આજે પણ પોતાના દેશમાં લઘુમતી પર અત્યાચાર કરે છે તેને અસહિષ્ણુતા અને ભય અંગે બોલવાની હિંમત કરે છે. શાહબાઝ શરીફને સીધો જવાબ આપતા જણાવ્યું કે પાકિસ્તાન દુનિયાભરમાં આતંકવા,દ નશીલી ડ્રગ્સની નિકાસ કરે છે અને દુનિયાભરમાં તે બદનામ છે અને તે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર પર હુમલાનું દુ:સાહસ કરી રહ્યું છે.
ભાવિકા મંગલનંદને પાકિસ્તાનને ધાંધલીવડા ચૂંટણીના ઇતિહાસ અને વર્તમાનની યાદ અપાવી હતી અને કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીમાં વિઘ્ન પહોંચાડવા સતત આતંકવાદનો ઉપયોગ કરે છે. પરંતુ ભારત આતંકવાદ સાથે સમાધાન કરી ન શકે અને સીમા પરના આતંકવાદ માટે પાકે. પરિણામે ભોગવવા પડશે. ભારતીય મહિલા પ્રતિનિધિનો આકરો જવાબ પાકિસ્તાનના કેમ્પને સ્તબ્ધ કરી ગયો હતો.

Tags: bhavika mangalanandan reply pakistanUNO
Previous Post

હિમાચલ – કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા

Next Post

ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાયે ભાવનગર રેન્જ IG કચેરીનું ઇન્સ્પેક્શન કર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાયે ભાવનગર રેન્જ IG કચેરીનું ઇન્સ્પેક્શન કર્યું

ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાયે ભાવનગર રેન્જ IG કચેરીનું ઇન્સ્પેક્શન કર્યું

પાલીતાણા નજીક આવેલ શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતા સપાટી ૩૧ ફૂટે પહોંચી

પાલીતાણા નજીક આવેલ શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતા સપાટી ૩૧ ફૂટે પહોંચી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.