આજથી મા અંબાની આરાધનાનો પવિત્ર પર્વ નવરાત્રિની શરૂઆત થઈ છે. નવ દિવસ સુધી માઈભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળશે. ગુજરાત સહિત વિશ્વભરમાં નવરાત્રિ પર્વ નિમિત્તે ગરબા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન માઈભક્તો માતાજીનાં દર્શન કરવા માટે અંબાજી , પાવાગઢ સહિતનાં વિવિધ ધામે પણ જતા હોય છે. ત્યારે પ્રથમ નોરતે પાવાગઢ ખાતે વિરાજમાન જગતજનની મહાકાળી માતાજીની મંગળા આરતીમાં માઈભક્તોની જબરદસ્ત ભીડ જોવા મળી હતી. આસો નવરાત્રિનાંપ્રથમ નોરતે પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે વિરાજમાન જગતજનની મહાકાળી માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. પ્રથમ નોરતે જગતજનની મહાકાળી માતાજીનાં દર્શન કરવા માટે માઈભક્તોનું ઘોડાપુર ઊમટ્યુ હતું.