યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. દાંતાથી અંબાજી વચ્ચે થયેલા અકસ્માતમાં 4ના મોત અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 15 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે.
અંબાજી દાંતા વચ્ચે ત્રિશૂલિયા ઘાટ પાસે હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવકાર્ય શરૂ કરી મુસાફરો બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે. અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર 25થી વધુ લોકોને ઇજા પહોંચી છે. પાલનપુર, દાતા, અંબાજી સહિતની એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી છે. અંબાજીથી દાંતા તરફ આવતી બસને અકસ્માત નડ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ ગામના ભક્તો દર્શન કરીને પરત જતા અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્યારે મુસાફરોએ જણાવ્યું હતું કે, ડ્રાઇવર નસો કર્યો હતો અને બેદરકારી રીતે બસ હંકારતો હતો.