Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી સરકારે વીઆઈપી સુરક્ષામાંથી હટાવ્યા NSG કમાન્ડો

NSG કમાન્ડોનો ઉપયોગ માત્ર આતંકવાદ વિરોધી અભિયાનો માટે કરવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2024-10-17 11:45:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે તમામ વીઆઈપી સિક્યોરિટી ડ્યૂટીથી NSG કમાન્ડોને હટાવી લેવામાં આવે કેમ કે તેમનો ઉપયોગ માત્ર આતંકવાદ વિરોધી અભિયાનો માટે કરવામાં આવશે. જે વીઆઈપી લોકોને ખૂબ વધુ જોખમ છે, તેમની સિક્યોરિટીની કમાન હવે CRPFના હવાલે હશે. આગામી મહિનાથી આદેશ લાગુ થઈ જશે.
સંસદની સુરક્ષાથી સેવામુક્ત થયેલા CRPF જવાનોને સ્પેશિયલ ટ્રેનિંગ અપાવીને તેમને સીઆરપીએફ વીઆઈપી સિક્યોરિટી વિંગમાં મોકલવામાં આવ્યા છે. આ માટે નવી બટાલિયન બનાવવામાં આવી છે. હવે આ જવાન વીઆઈપીની સુરક્ષા કરશે. અત્યારે 9 જેડ-પ્લસ કેટેગરીના વીઆઈપી છે, જેની સિક્યોરિટી NSG ના બ્લેક કેટ કમાન્ડો કરે છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ, બસપા સુપ્રીમો માયાવતી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ નાયબ-વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ, છત્તીસગઢના પૂર્વ સીએમ રમન સિંહ, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ, એનસી નેતા ફારુક અબ્દુલ્લાહ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ. હવે આમની પાસેથી એનએસજી કમાન્ડો હટી જશે. સીઆરપીએફ સિક્યોરિટી વિંગ કમાન સંભાળશે.
સીઆરપીએફની પાસે પહેલેથી છ વીઆઈપી સિક્યોરિટી બટાલિયન હાજર છે. નવી બટાલિયનની સાથે આ સાત થઈ જશે. નવી બટાલિયન થોડા મહિના પહેલા સુધી સંસદની સુરક્ષામાં લાગેલી હતી. હવે આ કાર્ય CISFને સોંપવામાં આવ્યું છે. NSG સિક્યોરિટી વાળા 9 વીઆઈપીમાંથી બે એટલે કે રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથની પાસે એડવાન્સ્ડ સિક્યોરિટી લાઈસન (ASL) પ્રોટોકોલ છે. જેને હવે સીઆરપીએફે ટેકઓવર કરી લીધું છે. ASL એટલે કે કોઈ વીઆઈપીના કોઈ સ્થળે પહોંચ્યા પહેલા તે સ્થળની શોધખોળ, સિક્યોરિટી તપાસ, લોકેશન વગેરેની સુરક્ષા તપાસવામાં આવે છે. સીઆરપીએફ હવે આ તમામ કાર્ય આ બંને નેતાઓ માટે કરશે. આ પહેલા સીઆરપીએફ અત્યાર સુધી ASL નું કાર્ય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ પીએમ મનમોહન સિંહ અને ગાંધી પરિવારના ત્રણેય સભ્ય માટે કરતી હતી.

2012 થી ચાલી રહી હતી આ બાબતની તૈયારી
દેશમાં સતત થઈ રહેલા આતંકી હુમલાની વચ્ચે વીઆઈપીની સિક્યોરિટી તણાવનો વિષય છે. ખૂબ વિચારી કર્યા બાદ સીઆરપીએફના સિક્યોરિટી વિંગને વીઆઈપી સુરક્ષામાં તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ખાસ ટ્રેનિંગ બાદ NSGને હવે આતંકવાદ વિરોધી મિશનમાં જ તહેનાત કરવામાં આવશે. સરકારની યોજના છે કે એનએસજી કમાન્ડોમાંથી પસંદ કરાયેલા જવાનોની ખાસ એલીટ ફોર્સ બનાવવામાં આવશે. જેને સ્ટ્રાઈક ટીમ કહેવામાં આવશે. જેથી હાઈ-રિસ્ક એરિયાની સિક્યોરિટી કે આતંકી હુમલાનો જવાબ આપવા લાયક ટીમ બની શકે. આ ટીમ અયોધ્યાના રામ મંદિર સહિત દેશના તમામ મહત્ત્વપૂર્ણ ઈમારતોની સુરક્ષા પણ કરશે. એનએસજીને બે દાયકા પહેલા વીઆઈપી સિક્યોરિટીમાં લગાવવામાં આવી હતી.

Tags: govt remove nsg comandoindiavip sequrity
Previous Post

વકફની જમીન પર બની છે નવી સંસદની ઈમારત : મૌલાના બદરુદ્દીન અજમલે કર્યો દાવો

Next Post

વિમાનમાં બોમ્બની ધમકી આપનારા ‘નો ફ્લાઇટ લિસ્ટ’માં મુકવામાં આવશે

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
વિમાનમાં બોમ્બની ધમકી આપનારા ‘નો ફ્લાઇટ લિસ્ટ’માં મુકવામાં આવશે

વિમાનમાં બોમ્બની ધમકી આપનારા 'નો ફ્લાઇટ લિસ્ટ'માં મુકવામાં આવશે

મારા માટે કોઈપણ પ્રકારનો ગ્રીન કોરિડોર ન બનાવવામાં આવે : ઓમાર અબ્દુલ્લા

મારા માટે કોઈપણ પ્રકારનો ગ્રીન કોરિડોર ન બનાવવામાં આવે : ઓમાર અબ્દુલ્લા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.