ડેડિયાપાડા તાલુકાના માલસામોટ ખાતે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં અને સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંગ તડવી, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં જાહેર મંચ ઉપર ચૈતર વસાવાને માઇક નહિ આપતાં ચૈતર વસાવાએ મંત્રીની હાજરીમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે કાંઈ ફોટા પડાવવા કે નાસ્તો કરવા નથી આવ્યા, લોકોના પ્રશ્નોને વાચા આપવા આવ્યા છીએ.
જાહેર ક્રાયક્રમમાં પ્રોટોકોલ ન જળવાતાં ચૈતર વસાવાએ કહ્યું કે, અમે કાઈ ફોટા પડાવવા નથી આવ્યા કે નાસ્તો કરવા નથી આવ્યા. લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા છીએ. ફોરેસ્ટવાળા પોતપોતાની ઘરની એજન્સીઓ રાખીને દર વર્ષે 8થી 10 કરોડ રૂપિયા ઉતારે છે. વનવિભાગના અધિકારીઓને તતડાવતાં કહ્યું કે, પ્રોટોકોલ સાચવજો. તમારા મગજમાં કોઈ ધુમાડો હોઈ તો કાઢી નાખજો. હવેથી પ્રોટોકોલ જાળવજો બીજીવાર આવી ભુલ ના કરતા બાકી તમે જાણો જ છો.