દુબઈથી જયપુર આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX-196ને શુક્રવારે મોડી રાત્રે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એર ઈન્ડિયા એક્સપ્રેસે શનિવારે સવારે જણાવ્યું કે ફ્લાઈટે મોડી રાત્રે 1:40 વાગ્યે સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું.તમામ 189 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇમરજન્સી પ્રોટોકોલ હેઠળ ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી, જેમાં સુરક્ષા અધિકારીઓને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. પોલીસ બોમ્બ વિશે ખોટી માહિતી આપનાર વ્યક્તિની તપાસ કરી રહી છે.
અગાઉ શુક્રવારે મોડી રાત્રેરાત્રે દિલ્હીથી લંડન જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટ UK-17ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ, ફ્લાઇટને ફ્રેન્કફર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યાં અઢી કલાકની તપાસ પછી, સુરક્ષા અધિકારીઓને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.એરલાઈને કહ્યું કે ધમકી મળ્યા બાદ પ્રોટોકોલ મુજબ તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પાયલોટે ફ્લાઇટને ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. ફ્રેન્કફર્ટમાં સુરક્ષા અધિકારીઓએ ફ્લાઇટની તપાસ કરી, જેમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
છેલ્લા 1 અઠવાડિયામાં ભારતીય વિમાનો પર બોમ્બની ધમકીની આ 23મી ઘટના છે. સતત ધમકીઓ વચ્ચે કેન્દ્ર સરકારે 16 ઓક્ટોબરે ફ્લાઈટ્સમાં એર માર્શલ્સની સંખ્યા બમણી કરવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય ગૃહ મંત્રાલયે ઉડ્ડયન મંત્રાલય પાસેથી પણ રિપોર્ટ માંગ્યો છે.