Friday, August 22, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશ પ્રથમ’ નો મંત્ર અપનાવનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આજે જન્મદિવસ

કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદી એ મોદી સરકારના કૃતનિશ્ચયીને અમલમાં મુકવાનું અમિતભાઈ શાહે બેખૂબીથી પાર પાડયું

dharmendravaghela by dharmendravaghela
2024-10-22 11:48:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

‘કહો દુશ્મનને દરીયાની જેમ હું પાછો જરૂર આવીશ એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે’… આ ઉક્તિ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ માટે સૌથી વધુ યોગ્ય ગણી શકાય કે એક વખત જેમના રાજકીય ભવિષ્ય અંગે અનેક પ્રશ્નો સર્જાયા હતા તેઓ આજે દેશના એક સક્ષમ ગૃહમંત્રી અને મજબૂત રાજનેતા ઉપરાંત ભાજપ માટે ચાણકય પુરવાર થયા છે.
શ્રી અમીતભાઈ શાહ આજે પોતાનો 60મો જન્મદિવસ મનાવી રહ્યા છે અને તેઓ આજે ગુજરાતમાં પણ છે. દેશના 32માં ગૃહમંત્રી તરીકે મોદી 2.0 સરકારમાં સેવા આપવાનું શરૂ કર્યા બાદ હવે તેઓને દેશના ભવિષ્યના વડાપ્રધાન તરીકે પણ જોવાતા હોય તો તેમાં કોઈ અતિશ્યોક્તિ ગણાતી નથી. કારણ કે અમીતભાઈ શાહનું રાજકીય વ્યક્તિત્વ જ એવું બની ગયુ છે કે સરકારના સંચાલનમાં તેમની ભૂમિકા નિર્ણાયક છે અને રાજકીય વ્યુહ તેમજ ભારતીય જનતાપક્ષને શિખરે પહોંચાડવામાં પણ તેમનો પરિશ્રમ અનોખો રહ્યો છે.
ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘના સ્વયંમસેવક તરીકે ઘડતર મેળવ્યું અને અગાઉના જનસંઘ અને હાલના ભારતીય જનતાપક્ષના બુથના કાર્યકર્તા તરીકે તેઓએ પોતાની રાજકીય સફર ચાલુ કરી તે આજે પણ તેના મૂળમાં જોવા મળે છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી યુગનો પ્રારંભમાં જ અમીત શાહની એક ચોકકસ ભૂમિકા લખાઈ ગઈ હતી. તેઓએ તે બેખૂબી ભજવી. કેટલોક સમય રાજકીય વનવાસ જેવો પણ આવ્યો તે સમયે એવું મનાતુ હતું કે અમીત શાહની રાજકીય કારકિર્દી પુરી થઈ છે પરંતુ તેઓએ ખુદે પોતાની કારકિર્દી લખી હોય તેમ વધુ તાકાતવર બનીને બહાર આવ્યા છે અને ગુજરાતથી દિલ્હીની સફર પણ આપણી સામે છે.
આજે પણ તેઓ એક કાર્યકર્તા જ છે અને તેમના વ્યક્તિત્વનું સૌથી શ્રેષ્ઠ પાસુ એ છે કે શક્તિશાળી ગૃહમંત્રી ભારત અને દુનિયા જેને દેશના નંબર ટુ જેવુ સ્થાન આપે છે તે તમામ છતાં પણ ગાંધીનગરના સાંસદ તરીકે તેઓ જે રીતે દર સપ્તાહે કે પખવાડીયે પોતાના મતવિસ્તારની મુલાકાત લઈને એક નાની સુવિધાને પણ લોકાર્પણ કરીને પોતાની લોકપ્રતિનિધિ તરીકેની ફરજ બજાવે છે તે કદાચ ભાગ્યે જ કોઈ બીજા ધારાસભ્ય કે સાંસદમાં જોવા મળી શકે. આમ લોક ચૂંટાયેલા લોકપ્રતિનિધિની પ્રથમ ફરજ શું હોવી જોઈએ તે અમીત શાહ દર્શાવે છે.
મોદી સરકારમાં ગૃહમંત્રી તરીકે તેઓએ જે રીતે 5 ઓગષ્ટ 2019માં કાશ્મીરમાં કલમ 370ની નાબુદીની સંસદમાં જાહેરાત કરી અને તે સમયે જે દહેશતની ધારણા વ્યક્ત થતી હતી તેનાથી વિરુદ્ધ અમીતભાઈ શાહે સંસદમાં ડંકાની ચોટ પર કહ્યું હતું કે લોહીનું એક પણ બુંદ વહેશે નહી અને તેઓ સાચા પડયા હતા.
ગૃહમંત્રી તરીકેની તેમની કામગીરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની અસર જોવા મળે છે તેમાં દેશ પ્રથમ તે તેમનો મંત્ર છે. સહકારમંત્રી તરીકે આ ક્ષેત્રને નવી તાકાત આપી છે. કદાચ દેશના એવા પ્રથમ ગૃહમંત્રી હશે કે હજુ સુધી એકપણ વિદેશી સફર કરી નથી.

Tags: amit shah birthdayindia
Previous Post

સુરતમાં રેવ પાર્ટી પર રેડ : ઝડપાયેલામાં એન્જિનિયર અને જમીન દલાલ, યુવતીઓ સિક્કિમ અને નેપાળની

Next Post

બુલંદશહેરમાં સિલિન્ડર બ્લાસ્ટ: ત્રણ મહિલાઓ સહિત 6ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

USની મોસ્ટ વોન્ટેડ સિન્ડી રોડ્રિગ્ઝ સિંઘની ભારતમાંથી થઇ ધરપકડ
તાજા સમાચાર

USની મોસ્ટ વોન્ટેડ સિન્ડી રોડ્રિગ્ઝ સિંઘની ભારતમાંથી થઇ ધરપકડ

August 21, 2025
વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું,
તાજા સમાચાર

વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું,

August 21, 2025
વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત
તાજા સમાચાર

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત

August 21, 2025
Next Post
બુલંદશહેરમાં સિલિન્ડર બ્લાસ્ટ: ત્રણ મહિલાઓ સહિત 6ના મોત

બુલંદશહેરમાં સિલિન્ડર બ્લાસ્ટ: ત્રણ મહિલાઓ સહિત 6ના મોત

ભાવનગર શહેરમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગે ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી

ભાવનગર શહેરમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગે ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.