Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સત્યનો સમય આવે છે તો જોરથી બોલે છે- મોહન ભાગવત

અયોધ્યા વિશે વાત કરતા કહ્યું, અયોધ્યા દરેકની છે. જો આ મંદિર સનાતન ધર્મનું છે તો તે બધા સનાતનીઓનું છે

dharmendravaghela by dharmendravaghela
2024-11-08 12:08:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ભગવાન શ્રીરામની પવિત્ર ભૂમિ ગણાતા ચિત્રકૂટમાં આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. કાર્યક્રમના બીજા દિવસે સંઘના વડા ડૉ. મોહન ભાગવતે પોતાનું સંબોધન આપતા કહ્યું કે, સંતોના કાર્યમાં કોઇ અડચણ ન આવે તે માટે ડંડા લઇને બેસી રહેવું આપણા સંઘનું કામ છે. તેમજ કેટલીક શક્તિઓ ભારતને દબાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ સત્યને ક્યારેય દબાવી શકાતું નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવત ચિત્રકૂટના પ્રવાસે પહોંચ્યા હતા. ચિત્રકૂટ પહોંચેલા મોહન ભાગવતે આયુર્વેદની પંચકર્મ પદ્ધતિથી અહીં સારવાર કરાવી હતી. 6 નવેમ્બરના રોજ મનોવિજ્ઞાન નિષ્ણાત પંડિત રામકિંકર ઉપાધ્યાયની જન્મ શતાબ્દી ઉજવણીમાં પણ ભાગ લીધો હતો. અહીં તેમણે સંઘ કાર્યકર્તા અને સંતોને સંબોધિત કર્યા હતા. ડૉ. મોહન ભાગવતે પોતાના સંબોધન દરમિયાન કહ્યું, ‘સંતો મંદિરોમાં પૂજા કરે છે જ્યારે સંઘ કાર્યકર્તાઓ બહાર રહીને તેમની સુરક્ષા પૂરી પાડવા માટે કામ કરે છે. જ્યારે સત્યનો સમય આવે છે ત્યારે તે જોરથી બોલે છે. શસ્ત્રોની જરૂર છે પણ તેની સાથે રામ જેવા વિચારો પણ અપનાવવા જોઇએ.’
RSSના વડા મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘સંતોના દિવ્ય વિચારોને સાંભળ્યા પછી એવું લાગે છે કે તેમના શબ્દો કડવા પાઉડર જેવા છે. તેઓ આપણને જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. રામકિંકર ઉપાધ્યાયની જન્મશતાબ્દીની ઉજવણીમાં તેમણે સનાતન ધર્મના રક્ષણ પ્રત્યેના તેમના સમર્પણને વિશેષ મહત્ત્વ આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું, ‘સનાતન ધર્મના અનુયાયીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેનો પ્રચાર કરી રહ્યાં છે. આપણે સત્યના માર્ગ પર અડગ રહેવું જોઇએ. વહેલા કે પછી અસત્યનો પરાજય થશે, કારણ કે સત્યની જીત નિશ્ચિત છે.’
અયોધ્યા વિશે વાત કરતા RSSના વડાએ કહ્યું કે અયોધ્યા દરેકની છે. જો આ મંદિર સનાતન ધર્મનું છે તો તે બધા સનાતનીઓનું છે. દરેક વ્યક્તિએ પોતાના ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવી જોઈએ. આ કાર્યક્રમમાં સંતો ઉત્તમ સ્વામી મહારાજ, મોરારી બાપુ, મૈથિલી શરણ મહારાજ અને ચિદાનંદ મહારાજ પણ હાજર રહ્યાં હતા. મોરારી બાપુએ ચિત્રકૂટને વિશેષ સ્થાન આપ્યું અને કહ્યું કે આ ચિત્રકૂટ તમામ કૂટમાં સૌથી મહાન છે. આ પહેલા કાર્યક્રમના પ્રથમ દિવસે ડૉ. મોહન ભાગવતે કહ્યું હતું કે દરેક પરિવારમાં રાષ્ટ્રવાદ અને એકતાની ભાવના જાગૃત કરવાથી દેશ મજબૂત બનશે. સંઘનો ઉદ્દેશ્ય 2025 સુધીમાં દરેક ગામડા સુધી તેનું કામ પહોંચાડવાનું છે.

Tags: chitrakutmohan bhagawat on ram mandir
Previous Post

મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન પર સંકટ! CM શિંદેએ ભાજપ હાઇકમાન્ડને કરી ફરિયાદ

Next Post

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતીનો દરજ્જો રહેશે યથાવત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતીનો દરજ્જો રહેશે યથાવત

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતીનો દરજ્જો રહેશે યથાવત

કલમ 370 મુદે આજે પણ કાશ્મીર વિધાનસભામાં ધમાલ : મારામારી, સૂત્રોચ્ચાર

કલમ 370 મુદે આજે પણ કાશ્મીર વિધાનસભામાં ધમાલ : મારામારી, સૂત્રોચ્ચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.