Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઈની બસે 30ને કચડી નાખ્યાં : 7નાં મોત

અકસ્માતનું મુખ્ય કારણ બસના બ્રેક ફેલ થવાનું માનવામાં આવી રહ્યું છે

dharmendravaghela by dharmendravaghela
2024-12-10 11:39:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મુંબઈના કુર્લામાં BEST બસે અનેક વાહનોને ટક્કર મારી જેમાં 7 લોકોનાં મોત થયા અને 27 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો. પોલીસે બસ ચાલકની ધરપકડ કરી છે. હવે બસના મેન્ટેનન્સની તપાસ ચાલી રહી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે, અકસ્માતનું મુખ્ય કારણ બસના બ્રેક ફેલ થવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે બસ ચાલક અચાનક બસ પરનો કાબુ ગુમાવી બેઠો હતો, ત્યારે બસે પહેલા રસ્તા પર ચાલતા લોકોને ટક્કર મારી દીધી અને પછી ઘણા વાહનો સાથે અથડાઈ હતી. અંતે બસ રહેણાંક સોસાયટી સાથે અથડાઈને અટકી ગઈ. BMCના અધિકારીએ આ દુર્ઘટનાને બ્રેકમાં ખામીના કારણે બનેલી ગણાવી છે.
BMC અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત કુર્લાના BSM ખાતે L વોર્ડ પાસે થયો હતો. બેસ્ટની બસ કુર્લા રેલવે સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. પરંતુ બસ અચાનક ડ્રાઈવરના કાબુ બહાર ગઈ હતી. બસે પહેલા રાહદારીઓને કચડી નાખ્યા અને પછી ત્યાં પાર્ક કરેલા કેટલાક વાહનો સાથે અથડાઈ. આ પછી બસ રહેણાંક સોસાયટીના ગેટ સાથે અથડાઈને થંભી ગઈ હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરવાનું શરૂ કર્યું અને ઘાયલોને નજીકની ભાભા હોસ્પિટલમાં દાખલ કર્યા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અધિકારીના જણાવ્યા અનુસાર, એવી આશંકા છે કે અકસ્માતનું કારણ બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. અકસ્માત બાદ પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Tags: 7 deathbest bus accidentkurlaMumbai
Previous Post

પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. કૃષ્ણાનું નિધન

Next Post

સરકારી મદદ ન મળતા ગામના લોકોએ 3.75 કરોડ રૂપિયા એકત્ર કરી 11મી સદીના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સરકારી મદદ ન મળતા ગામના લોકોએ 3.75 કરોડ રૂપિયા એકત્ર કરી 11મી સદીના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો

સરકારી મદદ ન મળતા ગામના લોકોએ 3.75 કરોડ રૂપિયા એકત્ર કરી 11મી સદીના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો

ICC એ યુએસએની નેશનલ ક્રિકેટ લીગ પર મૂક્યો પ્રતિબંધ

ICC એ યુએસએની નેશનલ ક્રિકેટ લીગ પર મૂક્યો પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.