Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્રના લોકો માટે અયોધ્યામાં 13 માળનું ભક્ત નિવાસ બાંધવાને ફડણવીસ સરકારની મંજૂરી

આગામી ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ થવાની ધારણા

dharmendravaghela by dharmendravaghela
2024-12-11 12:00:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 13 માળના ભક્ત નિવાસની સ્થાપના માટે કરાર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મહારાષ્ટ્ર ભવનના નિર્માણ માટે મુંબઈ સ્થિત જેનેરિક એન્જિનિયરિંગ ક્ધસ્ટ્રક્શન એન્ડ પ્રોજેક્ટ્સ લિમિટેડ (જીઈસીપીએલ)ને 119.50 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
મહારાષ્ટ્રના રામ ભક્તો માટે આવાસ ઉપલબ્ધ કરાવવા માટે 13 માળનું મહારાષ્ટ્ર ભવન બનાવવામાં આવશે, જેને ભક્ત નિવાસ કહેવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિર પાસે ફાળવેલી બે એકર જમીન પર આ ભક્ત નિવાસનું નિર્માણ કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ થવાની ધારણા છે. ગયા ઓગસ્ટમાં મહારાષ્ટ્ર સરકારના જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી)એ મહારાષ્ટ્ર ભવનના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. અયોધ્યામાં અત્યાધુનિક સુવિધાઓની સાથે નજીવા દરે ભક્તોને રહેવા, ભોજન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.
બે કંપનીઓ નિર્મિતિ બિલ્ડકોન અને જીઈસીપીએલે ટેન્ડરમાં ભાગ લીધો હતો, જેમાં નિર્મિતિએ રૂ. 120.04 કરોડ અને જીઈસીપીએલે રૂ. 119.50 કરોડની બિડ કરી હતી. આ વર્ષે માર્ચમાં રાજ્ય કેબિનેટે મહારાષ્ટ્ર ભવનના નિર્માણ માટે 67.14 કરોડ રૂપિયામાં અયોધ્યામાં 9,420.55 ચોરસ મીટરનો પ્લોટ ખરીદવાની મંજૂરી આપી હતી. આ પ્લોટ અયોધ્યાના સેક્ટર-8ની ગ્રીનફિલ્ડ ટાઉનશીપમાં આવેલો છે. 2023માં મહારાષ્ટ્રની તેમની મુલાકાત દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વિનંતી સ્વીકારીને એવું વચન આપ્યું હતું કે રામ મંદિર પાસે મહારાષ્ટ્ર ભવન બાંધવા માટે અયોધ્યામાં જમીન ફાળવવામાં આવશે.

Tags: ayodhyamaharashtra bhakt nivas
Previous Post

ફ્લાઈટમાં બોમ્બની અફવા ફેલાવનાર નીકળ્યો IB ઓફિસર!

Next Post

નકલી પત્રકાર બની રૂપિયાનો તોડ કરતી ટોળકી ઝડપાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સુરતની બે મુસ્લિમ મહિલાની કતારમાં ધરપકડ

નકલી પત્રકાર બની રૂપિયાનો તોડ કરતી ટોળકી ઝડપાઈ

ઓવૈસીએ દિલ્હી રમખાણના માસ્ટર માઇન્ડ તાહિર હુસૈનને ટિકિટ આપી

ઓવૈસીએ દિલ્હી રમખાણના માસ્ટર માઇન્ડ તાહિર હુસૈનને ટિકિટ આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.