આજે સવારે જયપુરના ભાંકરોટામાં અજમેર હાઇવે પર દિલ્હી પબ્લીક સ્કુલની સામે કેમિકલ ભરેલા ટેન્કરને ટ્રકે ઠોકર મારતા કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગ લાગતા તેની ઝપટમાં આવેલા 40 જેટલા વાહનો ખાખ થયા હતા. આ દુર્ઘટનામાં 7 લોકો ભડથુ થઇ ગયા હતા જયારે 37 જેટલા લોકો દાઝી ગયા હતા આ આગમાં ઝપટમાં આવેલી એક ફેકટરી ખાખ થઇ ગઇ હતી.
અજમેર હાઈવે બંધશુક્રવારે સવારે જયપુરમાં અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે કેમિકલથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માતમાં 7 લોકો જીવતા ભડથુ થઇ ગયા હતા અને 37 લોકો દાઝી ગયા હતા. ટેન્કરને ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને સળગતું કેમિકલ 200 થી 300 મીટર દૂર ફેલાઈ ગયું હતું. જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી. 40થી વધુ વાહનોમાં આગ લાગી હતી. અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી.
ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ અને હાઇવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરી પણ બળી ગઈ હતી. વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. દુર્ઘટના સ્થળે કેમિકલ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ 30થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ફોન પર જાણકારી લીધી
અકસ્માતની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ડોક્ટરો પાસેથી ઘાયલોની માહિતી લીધી છે. ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સાથે ફોન પર વાત કરી હતી અને ઘટનાની માહિતી લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર આ માહિતી આપી.