Monday, August 25, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે મોબાઈલમાં ફક્ત કોલીંગ – SMS પ્લાન પણ મળશે

રૂા.10નું વાઉચર પણ શકય બનશે: મોબાઈલ કંપનીઓને ટ્રાઈની સૂચના

dharmendravaghela by dharmendravaghela
2024-12-24 12:05:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં મોબાઈલ અને ખાસ કરીને સ્માર્ટફોનના વધતા ઉપયોગર્તાઓમાં એક વિશાળ વર્ગ હજું એવો છે જે ફકત કોલીંગ અને એસએમએસ સુવિધાવાળા બેઝીક મોબાઈલ ફોનમાં જ ઉપયોગ કરે છે પણ ઈન્ટરનેટના આગમન બાદ મોબાઈલ કંપનીઓ માટે ડેટા બીઝનેસ સૌથી વધુ કમાણી આપનાર બની ગયો છે. પરંતુ મોબાઈલ સેવા આપતી કંપનીઓ હવે તેના પ્રી-પેઈડ કે પોસ્ટપેઈડ તમામ પ્લાનમાં ડેટા પેકેજ સમાવીને મોંઘા બન્યા છે. જે બેઝીક ફોનનો ઉપયોગ કરનારને માટે ભાગ્યે જ કોઈ રીતે જરૂરી છે તે અંગે હવે ટેલીકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડીયાએ તમામ મોબાઈલ સેવા આપતી કંપનીઓને ‘વોઈસ-એસએમએસ’ માટે અલગ પ્લાન ઓફર કરવા આદેશ આપ્યો છે.
સોમવારે આ અંગે ટેરીફ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ હવે જે ગ્રાહકો ડેટાનો ઉપયોગ કરવા માંગતા નથી તેમને ફકત વોઈસ કોલ- એસએમએસની મર્યાદીત મોબાઈલ સેવા માટે ખાધ પ્લાન ઓફર કરવા પડશે. આ માટે ટ્રાઈએ વિશેષ રીચાર્જ કૂપન માટે જે 90 દિવસની સમયમર્યાદા છે તે વધારીને 365 દિવસ કરી છે.
ટ્રાઈએ આ અંગે જાહેર કર્યુ છે કે, મોબાઈલ સેવા આપતી કંપનીઓએ કમ સે કમ એક એવો પ્લાન ઓફર કરવો પડશે જેમાં ફકત કોલીંગ અને એસએમએસની જ સુવિધા ઉપલબ્ધ રહેશે અને તે 365 દિવસની વેલીડીટી પણ ઓફર કરી શકશે પણ તેનાથી વધુ દિવસની રહેશે નહી જે મોબાઈલ ધારકો ફકત બેઝીક મોબાઈલનો ઉપયોગ કરે છે તેઓને આ પ્લાનથી ફાયદો થશે. ડેટાનું બિલ ભરવું પડશે નહી. ટ્રાઈએ આપેલા આદેશમાં મોબાઈલ કંપનીઓને કોઈપણ કિંમતનું રીચાર્જ વાઉચર ઓફર કરવાની છુટ આપી છે. અગાઉ મોબાઈલ કંપનીઓ રૂા.10નો રીચાર્જ પ્લાન પણ ઓફર કરતી હતી. હવે તેવો સમય પાછો આવે તો આશ્ચર્ય થશે નહી. ટ્રાઈ લાંબા સમયથી આ વિચાર કરી રહી હતી. દેશમાં હજુ 30%થી વધુ મોબાઈલ ધારકો પાસે સ્માર્ટફોન નથી અથવા તેઓ ડેટાનો ઉપયોગ કરતા નથી. તેઓને વોઈસ-કોલીંગ અને એસએમએસ પુરતો જ વ્યવહાર છે પણ ડેટા સાથેના પ્લાન તેઓ માટે વધારાનો ખર્ચ બની જતા હતા જે હવે બનશે નહી.

Tags: calling sms planindiaTRAI
Previous Post

૧ ફેબ્રુઆરી શનિવારે રજૂ થશે કેન્દ્રીય બજેટ

Next Post

મધ્યપ્રદેશમાં ક્રિસમસ પર શાળામાં બાળકોને સાંતાક્લોઝ નહીં બનાવી શકાય

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
મધ્યપ્રદેશમાં ક્રિસમસ પર શાળામાં બાળકોને સાંતાક્લોઝ નહીં બનાવી શકાય

મધ્યપ્રદેશમાં ક્રિસમસ પર શાળામાં બાળકોને સાંતાક્લોઝ નહીં બનાવી શકાય

અમેરિકામાં ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની હત્યા

અમેરિકામાં ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.