રાજસ્થાનના કરૌલી જિલ્લામાં મંગળવારે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ખાનગી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બસમાં સવાર 15 મુસાફરો પણ ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બસના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ડીએમ નીલાભ સક્સેના, એસપી બ્રિજેશ જ્યોતિ ઉપાધ્યાય અને એએસપી ગુમનારામ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કાર અને બસમાં ફસાયેલા લોકોને બચાવ્યા અને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.બધા કૈલા દેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. મૃતકોમાં પતિ, પત્ની, પુત્ર-પુત્રી અને મહિલા સંબંધીનો સમાવેશ થાય છે. મૃતકની કારમાંથી મળેલા આધાર કાર્ડ પરથી તમામની ઓળખ થઈ છે.