Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

47 વર્ષ પહેલા સંભલમાં થયેલા રમખાણોની ફાઈલ ફરીથી ખોલવા આદેશ

1978 માં સંભલમાં સાંપ્રદાયિક આ રમખાણોમાં સત્તાવાર મૃત્યુઆંક 24 હતો

dharmendravaghela by dharmendravaghela
2025-01-09 12:11:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશનો સંભલ જિલ્લો છેલ્લાં એક મહિનાથી સતત સમાચારોમાં છે. યુપી સરકારે 1978 ના સંભલ રમખાણોની બંધ થયેલી ફાઇલને ફરીથી ખોલવાનો અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સંભલ પ્રશાસન અને પોલીસ 47 વર્ષ પહેલાં થયેલાં આ રમખાણની તપાસ કરશે અને એક અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ યોગી સરકારને સોંપશે. આ રમખાણોમાં સત્તાવાર મૃત્યુઆંક 24 હતો. જો કે, સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે રમખાણોમાં સત્તાવાર આંકડા કરતાં ઘણાં વધુ લોકો માર્યા ગયાં હતાં.
સીએમ યોગી આદિત્યનાથે થોડાં સમય પહેલાં 1978ના સંભલ રમખાણોને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ રમખાણોમાં 184 લોકો માર્યા ગયાં હતાં અને ઘણાં પરિવારોએ ભાગવું પડ્યું હતું. પોલીસ અને પ્રશાસન હવે રમખાણોમાં મૃત્યુના સાચાં આંકડા શોધી કાઢશે. કહેવામાં આવી રહ્યું છે કે, તપાસમાં રમખાણો બાદ બેઘર થયેલાં લોકોનાં વાસ્તવિક આંકડાઓ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
સંભલના એસપી કેકે બિશ્નોઈએ ડીએમ ડો. રાજેન્દ્ર પાંસિયાને પત્ર લખ્યો હતો કે, યુપી વિધાન પરિષદના સભ્ય શ્રીચંદ શર્માએ 1978ના રમખાણોની તપાસની માંગ કરી છે. આના પર તેમને યુપીનાં નાયબ સચિવ ગૃહ અને પોલીસ અધિક્ષક માનવ અધિકારનો પત્ર પણ મળ્યો છે. એસપીએ ડીએમ પાસે સંયુક્ત વહીવટી તપાસ માટે ડીએમ વહીવટીતંત્રમાંથી એક અધિકારીને નામાંકિત કરવાની માંગ કરી છે.
યોગી આદિત્યનાથે યુપી વિધાનસભામાં સંભલ રમખાણોને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ આ મામલે ચર્ચાએ જોર પકડ્યું હતું. 1978 માં સંભલમાં ઘણાં દિવસો સુધી રમખાણો ચાલું રહ્યાં હતાં. સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ અંગે લગભગ 169 કેસ નોંધાયાં હતાં. મુરાદાબાદના કમિશ્નરે સંભલના ડીએમ પાસેથી કેસ સંબંધિત તમામ દસ્તાવેજો મંગાવી દીધાં છે. વહીવટીતંત્ર રમખાણો પછી બેઘર થયેલાં લોકોની વાસ્તવિક સંખ્યા જાહેર કરવાનો પણ પ્રયાસ કરશે.

Tags: sambhal riots 1978 file reopenup
Previous Post

યોગી આજથી પ્રયાગરાજની બે દિવસીય મુલાકાતે

Next Post

ઉમરાળા નજીકથી રૂ।.૩૩ લાખનો દારૂ અને બિયરનો જથ્થો ભરેલું ટેન્કર ઝડપાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ઉમરાળા નજીકથી રૂ।.૩૩ લાખનો દારૂ અને બિયરનો જથ્થો ભરેલું ટેન્કર ઝડપાયું

ઉમરાળા નજીકથી રૂ।.૩૩ લાખનો દારૂ અને બિયરનો જથ્થો ભરેલું ટેન્કર ઝડપાયું

ભાવનગરના પિંજારાવાડમાંથી બે ધાર્મિક સ્થાનકોના દબાણો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરના પિંજારાવાડમાંથી બે ધાર્મિક સ્થાનકોના દબાણો તોડી પાડવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.