વડનગર સહિત દેશને નવા વર્ષમાં 21 મીટર ઊંચા અને 326 પીલ્લર પર ઉભા કરાયેલા મ્યૂઝિયમની ભેટ મળશે. 99 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બાકી કામ 10 દિવસમાં પૂર્ણ થઈ જશે. દેશ વિદેશના પર્યટકો માટે 16 જાન્યુઆરીએ ખુલ્લુ મુકાશે. ઉદ્ધાટન માટે અમિત શાહ આવી શકે છે. મ્યુઝિયમમાં વડનગરના સાત પિરિયડ, કલ્ચર, વેપાર ધંધા, તેમજ અવશેષો પ્રદર્શનમાં મૂકાશે.
મ્યૂઝિયમ અને ઉત્ખનન સાઈટ વચ્ચે બ્રિજ બનાવાયો છે. પ્રવાસીઓને મ્યૂઝિયમ પછી ઉત્ખનન સાઇટ જોવી હોય તો આ બ્રિજ ઉપરથી ઉત્ખનન સાઇટ નિહાળી શકશે. બે થી ત્રણ કલાકમાં આખું મ્યૂઝિયમ જોઈ શકાશે અને વડનગરનો ઈતિહાસ જાણી શકાશે.ઉત્ખનન દરમિયાન અહીં વડનગરનો ઈતિહાસ દર્શવાતી સાઈટ પર 14 કોલમ પર 2095 સ્કેવર ફૂટ શેડ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપર અલગ અલગ મજૂબત મટિરિયલ, લોખંડની શીટ લગાવાઈ છે. તેની ઉપર લોખંડના 7 મજૂબૂત આડા ટ્રસ બનાવાયા છે.
વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલા પુરાતત્વીય અવશેષ તેમજ વડનગરના ઈતિહાસને આવરી લઈને વિશિષ્ટ પદ્ધતિ અને નવીન સાધનોનો ઉપયોગ કરી અમરથોળ દરવાજા નજીક આ સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.ઉત્તરાયણ પછી સંગ્રહાલયનું ઉદઘાટન કરવામાં આવનાર છે. 13525 સ્કેવર ફૂટ એરિયામાં કરોડોના ખર્ચે બનેલા આ મ્યૂઝિયમમાં પાર્કિંગ અને કાફેટોરિયમ પણ બનશે.