સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ કયારે જાહેર થશે તેની છેલ્લા 2 વર્ષથી રાહ જોવાઇ રહીં હતી ત્યારે રાજય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર કરી છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂટણી જાહેર થઇ છે. આ ઉપરાંત પ્રસંગોપાત્ત ખાલી પડેલી જૂદી જૂદી નગરપાલિકાની 21 બેઠકો અને જિલ્લા પંચાયતની 9 બેઠકો અને તાલુકા પંચાયતની 91 બેઠકોની પેટાચૂંટણી યોજાશે.
આ ચૂટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તા.1 ફેબ્રુઆરી અને મતદાન તા. 16મી ફેબ્રુઆરીએ થશે તેમજ મતગણતરી તા. 18મી ફેબ્રુઆરીએ યોજાશે. મતદાન સવારે 7થી સાંજે 6 કલાક દરમિયાન યોજાશે. જેમાં 38.86 લાખ મતદારો મતદાન કરશે. આ સાથે આખા રાજયમાં નહીં,પણ ચુંટણી જાહેર કરાયેલા વિસ્તારમાં તા. 21મી જાન્યુઆરીથી ચૂટણીની આચારસંહિતા અમલમાં આવી ગઇ છે.
રાજય ચૂટણી પંચ દ્વારા 27 ટકા ઓબીસી અ્નામતના અમલ સાથે યોજાનારી ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડ અને અમદાવાદ,સુરત અ્ને ભાવનગર મહાનગરપાલિકાના એક એક વોર્ડની પેટાચૂંટણી યોજાશે. ઉપરાંત 27 જિલ્લાની 68 નગરપાલિકાની ચૂંટણી યોજાશે.જેમાં વાંકાનેર અ્ને બોટાદ ન
હજુ બોરસદ અને વાંકાનેર નગરપાલિકામાં ઓબીસી અનામત નક્કી કરવાની બાકી હોવાથી તેની ચૂંટણી જાહેર કરાઈ નથી. નવી નગરપાલિકામાં નખત્રાણા અને વાઘોડીયામાં સીમાંકનની કાર્યવાહી બાકી છે એટલે ચૂંટણી જાહેર થઇ નથી. જયારે ટંકારા નગરપાલિકામાં હજુ એક ગામ ઉમેરવું કે બાકાત રાખવું તે મુદ્દે વિવાદ હોવાથી તેની ચૂંટણી જાહેર થઇ શકી નથી. ઉપરાંત થરાદ,ધાનેરા,ઇડર અને વિજાપુરની હદમાં ફેરફાર થયો હોવાથી ચૂંટણી બાકી રાખવામાં આવી છે.
રાજ્યમાં આશરે 4600 ગ્રામ પંચાયતોની ચૂંટણી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી સાથે થવાની હતી. રાજય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિશ્નને કહ્યું હતું કે, ઝવેરી પંચનો અહેવાલ દોઢ મહિના પહેલા જ મળ્યો હતો. જેને કારણે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં હજુ ઓબીસી અનામત નક્કી કરવાની પ્રક્રિયા ચાલે છે. આથી આગામી એપ્રિલ મહિનામાં ચૂંટણી થાય તેવી શકયતા છે.