Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહાપાલિકાના 1 વોર્ડ અને તાલુકા પંચાયતની 5 બેઠકોની યોજાશે પેટા ચૂંટણી

સિહોર, ગારીયાધાર અને તળાજા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર

dharmendravaghela by dharmendravaghela
2025-01-22 11:59:51
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચાલતી ચર્ચાઓ અને પ્રક્રિયા ચાલતી હતી આખરે ચૂંટણીનું બ્યુગલ ફુંકાતા હવે તેનો અંત આવ્યો છે. સામાન્ય ચૂંટણી સાથે ભાવનગર મહાનગરપાલિકાની વડવા-બ વોર્ડ તેમજ ભાવનગર જિલ્લાના ત્રણ તાલુકાની પાંચ બેઠકની પેટા ચૂંટણી અને સાથે સાથે ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી 16 મી ફેબ્રુઆરીએ યોજાશે.
રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા અને ભાવનગરની સિહોર, ગારીયાધાર અને તળાજા મળી 66 નગરપાલિકામાં ચૂંટણીનું આગામી 16 મી ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની જાહેરાત ગત સાંજે થતા જ આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. બોટાદ નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. સામાન્ય સાથે જે પાલિકા અને પંચાયતમાં બેઠકો ખાલી પડી છે ત્યાં પણ પેટા ચૂંટણી યોજાશે.
ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 વડવા બ વોર્ડમાં નગરસેવકના મૃત્યુ બાદ ખાલી પડેલી એક જગ્યાની પેટા ચૂંટણી યોજાશે. ભાવનગર સહિત રાજ્યમાં 21 નગરપાલિકાની, 9 જિલ્લા પંચાયતની અને 91 તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
બોટાદ જિલ્લાની ગઢડા નગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે. જ્યારે ભાવનગર જિલ્લાની તળાજા તાલુકા પંચાયતની ઉંચડી અને નવાજૂના રાજપરા, ભાવનગર ગ્રામ્ય તાલુકા પંચાયતની લાખણકા અને સિહોર તાલુકા પંચાયતની વળાવડ તેમજ સોનગઢ બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવશે.
ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણી માટે 27મી જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. 1લી ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહેશે. 3જી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રો ચકાસણી અને 4થી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.

Tags: bhavnagarpeta chutani
Previous Post

જૂનાગઢ મનપા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત માટે 16 ફેબ્રુ.એ મતદાન

Next Post

શોર્ટ સર્કિટના કારણે અલંગમા બેંકના એટીએમ લાગી આગ, જુઓ વિડિયો

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post

શોર્ટ સર્કિટના કારણે અલંગમા બેંકના એટીએમ લાગી આગ, જુઓ વિડિયો

બીજા વાહનને સાઈડ આપવા જતાં ટ્રક ખીણમાં ખાબક્યો : 9 ના મોત, 20 લોકો ગંભીર રીતે ઘાયલ

બીજા વાહનને સાઈડ આપવા જતાં ટ્રક ખીણમાં ખાબક્યો : 9 ના મોત, 20 લોકો ગંભીર રીતે ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.