ભાવનગર નજીકના અધેવાડામાં પ્રસિદ્ધ ઝાંઝરીયા હનુમાનજી મંદિરે હનુમાનજીના સાનિધ્યમાં આજે તારીખ 25ને શનિવારે રાત્રે 8:30 કલાકથી શિવ શક્તિ રામ દરબાર કાળીયાબીડના સંગાથે ભવ્ય રામ દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, અનિલભાઈ સોલંકી પરિવાર પ્રેરિત અને ઝાંઝરીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અધેવાડાના સહયોગથી આ રામ દરબાર યોજાશે. ભાવિક ભક્તોને રામ દરબારનો લાભ લેવા જાહેર આમંત્રણ ઝાંઝરીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા અપાયું છે.