ભારત સરકારલાંબા સમયથી કહી રહી છે કે કેનેડાસરકાર ભારતમાં ગુના કરીને ફરાર થઈ ગયેલા ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપે છે. દરેક વખતે ટ્રુડો સરકારે તેનો ઇનકાર કર્યો હતો. પરંતુ, હવે કેનેડાની સરકારે ખુદ એ હકીકત સ્વીકારી લીધી છે કે તે ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપે છે. તેણે એ પણ સ્વીકાર્યું છે કે ખાલિસ્તાની આતંકવાદીઓ ભારત માટે મોટો ખતરો છે. આ બધું હોવા છતાં કેનેડાની સરકાર આ તત્વોને સતત આશ્રય આપી રહી છે.
માહિતી મુજબ કેનેડાના ફોરેન ઈન્ટરફેન્સ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જેમાં કહેવાયું છે કે ખાલિસ્તાન સમર્થકો કેનેડામાં આરામથી જીવી રહ્યા છે. 2021 અને 2024 ની વચ્ચે એટલે કે આ ત્રણ વર્ષમાં જ તેણે 1045 ‘શીખ આતંકવાદીઓને’ આશ્રય આપ્યો છે. વર્ષ 2022માં કેનેડાએ તેના દેશમાં સૌથી વધુ 428 ખાલિસ્તાનીઓને આશ્રય આપ્યો હતો. કેનેડાનું એમ પણ કહેવું છે કે આ ખાલિસ્તાની આતંકવાદીઓ ત્યાં શાંતિથી રહે છે.
ખાસ વાત એ છે કે કેનેડા જેમને ‘શીખ મિલિટન્ટ્સ’ કહી રહ્યું છે તે વાસ્તવમાં આતંકવાદી છે જેઓ ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપીને કેનેડા ભાગી ગયા છે. તેઓ ત્યાં ખૂબ જ આરામથી સામાન્ય જીવન જીવી રહ્યા છે. ખાસ વાત એ છે કે કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓને શીખ આતંકવાદી ગણાવે છે અને દાવો કરે છે કે તેમના જ દેશમાં તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે છે. કેનેડામાં ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી દીપક બોહરાને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેનેડા શાંતિપૂર્ણ રીતે રહેતા ખાલિસ્તાનીઓની વાત કરી શકે છે. પરંતુ તે એમ પણ માને છે કે કેટલાક ખાલિસ્તાની સમર્થકો ભારતમાં આતંકવાદીઓને ફંડ આપીને વાતાવરણ બગાડવામાં વ્યસ્ત છે. જો કે, કેનેડાએ સ્વીકાર્યું છે કે તેણે ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કાયદાકીય આધાર પર દાવા કર્યા છે. આનો અર્થ એ છે કે ભારતે તેના માટે માન્ય દાવા કર્યા છે. મતલબ કે ભારતના આરોપો તથ્ય છે.