Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગરીબોના ઘરનો ચૂલો ન સળગે એ વાત નવા ભારતમાં સ્વીકાર્ય નથી : વડાપ્રધાન

નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

dharmendravaghela by dharmendravaghela
2025-03-08 11:44:55
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.રાજ્યના અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ આયોજિત સમારોહમાં રાજ્ય સરકારની પેન્શન સહાય મેળવતા ‘અગ્રતા ધરાવતા કુટુંબ’ તરીકે વડીલો, દિવ્યાંગજનો અને ગંગાસ્વરૂપા માતાઓ-બહેનોની સાથોસાથ અતિ વંચિત ગરીબ પરિવારના નાગરિકોને તેમની ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ- NFSA હેઠળ વડાપ્રધાનના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ”કર્મ, દાન અને જનસેવામાં હંમેશા આગળ રહેતા સુરતના ‘સુરતી સ્પિરિટ’ના દર્શન આજે વંચિત અને ગરીબ વર્ગોના ભલા માટેના સેવાકાર્યમાં પણ જોવા મળ્યા છે. અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન દ્વારા સુરત જરૂરિયાતમંદ નાગરિકોના પોષણ અને ભોજનની કાળજી લેવામાં પણ આગળ નીકળ્યું છે. આ પ્રયાસમાં તુષ્ટિકરણ નહીં, સંતુષ્ટિકરણની ભાવના ઉજાગર થઈ છે”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાત્રતા ધરાવતા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ સહાય યોજના તેમજ અન્ય ગરીબ પરિવારોને PMGKAY યોજના હેઠળ એક જ સમયે, એકસાથે સામૂહિક રીતે લાભાન્વિત કરવાની જિલ્લા વહીવટીતંત્રની પહેલની સરાહના કરતા જણાવ્યું કે, સરકાર લાભાર્થીના ઘરના દરવાજે સામે ચાલીને જાય છે ત્યારે કોઈ જરૂરિયાતમંદ બરહી જતા નથી હોતા. કોઈ ભેદભાવ વિના સૌને પોતાના હકો પ્રાપ્ત થાય છે અને ‘ન કોઈ છૂટે ન રૂઠે’નો સંતોષ મળે છે. સાચી નિયત અને નીતિથી યોજના બને તો ગરીબો, જરૂરિયાતમંદોને હકનો લાભ અવશ્ય મળે છે એ વાત આ અભિયાનથી સાબિત થઈ છે.
ગરીબોના ઘરનો ચૂલો ન સળગે, પરિવાર ભૂખ્યો સૂએ એ વાત નવા ભારતમાં સ્વીકાર્ય નથી એમ સ્પષ્ટપણે જણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ કોરોનાના કપરા સમયમાં દેશના કરોડો ગરીબ પરિવારોની આંતરડી ઠારી હતી. કોરોના પછી પણ આ યોજનાએ એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યા સૂએ નહીં. આ યોજનાએ દેશના ગરીબ પરિવારોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય દેશના દરેક પરિવારોને પર્યાપ્ત પોષણ પ્રદાન કરી દેશને એનીમિયા અને કુપોષણથી મુક્ત બનાવવાનું છે.
અંત્યોદય કલ્યાણની વિચારધારાને કેન્દ્રમાં રાખીને સમાજના ગરીબ-વંચિત જૂથોને સીધો લાભ પહોંચે એવા આશયથી આયોજિત કાર્યક્રમમાં ઉમટેલા વિશાળ જનસમુદાયને સંબોધતા વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, માસિક પેન્શન સહાય મેળવતા મેળવતા વૃદ્ધજનો, દિવ્યાંગજનો અને ગંગાસ્વરૂપા મહિલાઓ વિનામૂલ્યે અન્નના લાભથી વંચિત ન રહી જાય એ માટે સુરત પ્રશાસને કરેલું સર્વેક્ષણ અંત્યોદયની ભાવનાનું પ્રેરક ઉદાહરણ છે. જે અન્ય જિલ્લાઓને પણ ગરીબ કલ્યાણ માટે પ્રેરણા આપશે.
PM નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, દેશના તમામ રાજ્યો-પ્રદેશોના લોકો સુરતમાં વસે છે. વિવિધતામાં એકતાના દર્શન કરાવતું હોવાથી આ શહેર મિનિ ભારતની પ્રતીતિ કરાવે છે. ઉદ્યમી શહેરની ઓળખ ધરાવતા આ શહેરે શ્રમનું સન્માન કર્યું છે, અહીં પ્રગતિની આકાંક્ષા પૂરી થાય છે. અન્ય રાજ્યોમાંથી સુરત આવેલા લાખો લોકોએ જીવનમાં આગળ વધવાના સપના સાકાર કર્યા છે. રોટી, કપડાં અને મકાનની પ્રાથમિક જરૂરિયાતોમાં રોટીની જરૂરિયાત સૌથી વધુ આવશ્યક હોય છે, ત્યારે સુરત રોટલો અને ઓટલો આપનાર શહેર તરીકે ખ્યાતનામ બન્યું છે.
ગરીબ કલ્યાણ અન્ન યોજના 81 કરોડથી વધુ લાભાર્થીઓ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની છે એમ ગર્વપૂર્વક જણાવી વડાપ્રધાનશ્રીએ આ યોજનાને માનવતાને મહત્વ દેતી યોજના ગણાવી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું કે, આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદોને અનાજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી રહી છે. આ યોજના ગત જાન્યુઆરી, 2024 થી વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનો લાભ દેશના અંદાજે 81 કરોડ જેટલા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) લાભાર્થીઓને મળશે. ગરીબોના હક પર તરાપ મારનાર અગાઉની સરકારના રાજની વિષમ સ્થિતિની યાદ અપાવતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ભૂતકાળની સરકારના કાર્યકાળમાં પાંચ કરોડ ભૂતિયા રેશનકાર્ડ અસ્તિત્વ ધરાવતા હતા. ગરીબોનું હક્કનું અનાજ અદ્રશ્ય લૂંટારાઓના હાથમાં જતું હતું. અમારી સરકારે 5 કરોડ ભૂતિયા રેશનકાર્ડને રદ્દ કર્યા અને સમગ્ર દેશમાં 100% રેશનકાર્ડ ડિજીટલાઈઝ કર્યા. જેનાથી અનાજ વિતરણમાં પારદર્શિતા આવી છે અને કાર્યક્ષમતા વધી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ કોઈપણ ગરીબ કે છેવાડાના વ્યક્તિને ભૂખ્યા ન સૂવું પડે તેની હરહંમેશ કાળજી લીધી છે. વડાપ્રધાનશ્રીએ ગરીબોના રાશનની ચિંતા કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરાવી તેના પરિણામે કરોડો લોકોને વિનામૂલ્યે અનાજ મળ્યું છે. ગરીબોને આવાસ, આહાર અને આરોગ્યની પૂરતી સુવિધા આપીને વડાપ્રધાનશ્રીએ ગરીબોનું સાચા અર્થમાં સશક્તિકરણ કર્યું છે. વડાપ્રધાનશ્રીએ ગરીબને ગરીબીમાંથી બહાર કાઢવા અને ગરીબી વિરુદ્ધ લડી શકે તે માટે ગરીબોને તાકાત આપવાનું કામ કર્યું છે એમ પણ ઉમેર્યું હતું.
આ પ્રસંગે અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, નાણામંત્રી કનુ દેસાઈ, અન્ન નાગરિક પૂરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, સાંસદ મુકેશ દલાલ, પ્રભુ વસાવા, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા, જિ.પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્યઓ, મુખ્ય સચિવ પંકજ જોશી, પૂરવઠા વિભાગના સચિવ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, જિલ્લા પૂરવઠા અધિકારી ડી.ડી.શાહ, તથા અન્ય પદાધિકારીઓ, અધિકારીગણ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ-શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags: food security campainmodisurat
Previous Post

મૃત્યુનોંધ 07-03-25

Next Post

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં નવા ચહેરાને સ્થાન મળે તેવી સંભાવના

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં નવા ચહેરાને સ્થાન મળે તેવી સંભાવના

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં નવા ચહેરાને સ્થાન મળે તેવી સંભાવના

નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ કલાકાર મનોજ દ્વારા બનાવેલ રામ મંદિરના ચિત્ર પર સહી કરી

નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ કલાકાર મનોજ દ્વારા બનાવેલ રામ મંદિરના ચિત્ર પર સહી કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.