Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દ્વારકાધીશ વિશે ટિપ્પણી સ્વામિનારાયણ મંદિરના કોઠારીએ માફી માગી

કહ્યું- 'સંતોના વિવાદિત નિવેદન પર કડક પગલા લઈશું; ગૂગળી બ્રાહ્મણોની સેવાઓને બિરદાવી

dharmendravaghela by dharmendravaghela
2025-03-29 11:54:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપદાસે પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો દ્વારા ગૂગળી બ્રાહ્મણો અને ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,’ દ્વારકા અંગે આવું વિવાદાસ્પદ લખાણ લખ્યું છે. એને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. હિંદુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માગવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.
કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે, અમારા સંપ્રદાયમાં વડીલો અને મોટેરાઓ ભેગા થઇ એક મીટીંગનું આયોજન કર્યું છે અને એવો નિર્ણય કર્યો છે કે, પૂર્વે જે કોઇપણ આ પ્રકારના વિવાદો થયા છે તેના પર કોઇ એક્શન લેવી અને ભવિષ્યમાં કોઇ આવી ભૂલ કરે તો તેના પર નક્કર પગલાં લેવા. બીજું એ કે આ પૂર્વે આમારા સાધુ દ્વારા ભગવાન દ્વારકાધીશ વિશે જે કાંઇ પણ કહેવામાં આવ્યું છે, તો સ્વામી નારાયણના સાધુ તરીકે ભગવાન દ્વારકાધીશનો જે કાંઇપણ દ્રોહ થયો છે. તો દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં સ્વામી નારાયણ સંતો વતી કરબદ્ધ પ્રાર્થના કરું છું. સાથે સાથે ગુગળી બ્રાહ્મણ વિશે પણ જે કાંઇ કહેવામાં આવ્યું છે, તો તેના માટે પણ હું દિલગીર છું. સાથે અન્ય જે કોઇપણ સમાજને દુ:ખ પહોંચ્યું તેના માટે હું ક્ષમા પ્રાર્થી છું.
મૂળ સંપ્રદાયના સ્વામીઓ સ્વામી નારાયણને માનતાં હોય તે તે, સ્વામી નારાયણ ધર્મની શિક્ષાપત્રીમાં લખ્યું છે કે, પાંચ દેવને પૂજવા એવું સ્વામી નારાયણ મહાપ્રભુએ કીધું છે. બીજી વાત એ કે, સ્વામી નારાયણ ભગવાને સ્પષ્ટ આજ્ઞા કરી છે તમામ સતસંગીઓને કે, તેમણે શિવરાત્રિનું પૂજન કરવું, નવરાત્રિનો ઉત્સવ કરવો, રામનવમીનો ઉત્સવ કરવો, હનુમાન જયંતિનો ઉત્સવ કરવો. આપણા સનાતની ઉત્સવ કરવા સાથે જ તે દિવસે ઉપવાસ પણ કરવો. આવી આજ્ઞા ભગવાન સ્વામી નારાયણ પ્રભુએ કરી છે. ભગવાન સ્વામી નારાયણે શિક્ષાપત્રીમાં ખાસ કહ્યું છે કે, દ્વારકાની યાત્રા મુખ્યપણે કરવી. જીવનમાં એક વખત તો દ્વારકા જવું, જવું ને જવું જ. અમારા સંતસંગીઓ એ અવશ્યપણે દ્વારકાની યાત્રા કરવી.
કોઠારી સ્વામીએ ગૂગળી બ્રાહ્મણોની સેવાઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૂગળી બ્રાહ્મણો યાત્રાળુઓની સેવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. તેઓ યાત્રાળુઓને દર્શન કરાવવાથી માંડીને ભોજન કરાવવા સુધીની સેવા કરે છે. જો કોઈ યાત્રાળુ પાસે દક્ષિણા ન હોય તો તેમને પરત જવા માટે ટિકિટ ભાડું પણ આપે છે.

 

Tags: dwarkadhishmafiswami madhav swaroopdas
Previous Post

આરોગ્ય ક્ષેત્રે બજેટના 8% સુધી વધારવા કેગની સલાહ

Next Post

સુરતમાં 30 માર્ચે રત્નકલાકારોની હડતાળ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સુરતમાં 30 માર્ચે રત્નકલાકારોની હડતાળ

સુરતમાં 30 માર્ચે રત્નકલાકારોની હડતાળ

છત્તીસગઢમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ : 10 નક્સલવાદી માર્યા ગયાના સમાચાર

છત્તીસગઢમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ : 10 નક્સલવાદી માર્યા ગયાના સમાચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.