Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભગવાન શામળિયાને 4.25 કરોડનો મુગટ અર્પણ

3 કિલો સોનું-700 ગ્રામ હીરા સહિત નવરત્નનો ઉપયોગ

dharmendravaghela by dharmendravaghela
2025-04-07 11:45:40
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને 4.25 કરોડથી વધુની કિંમતનો સોનાનો મુગટ ભેટમાં આપવામાં આવ્યો છે. ભક્તોએ અર્પણ કરેલા દાગીનામાંથી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 3 કિલો સોનું અને 700 ગ્રામ હીરા સહિત નવરત્નોનો ઉપયોગ કરી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને બનાવવામાં અંદાજીત 3 મહિનાથી વધુનો સમય લાગ્યો હતો.
શામળાજી ભક્તોની અતૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે. આજે ભગવાનને પહેરાવવામાં આવેલા આ મુગટથી મંદિરની શોભામાં અભૂતપૂર્વ વધારો થયો છે. મુગટની ઝળહળતી ચમક અને નવરત્નોની સુંદરતાએ મંદિરના વાતાવરણને વધુ પવિત્ર અને આકર્ષક બનાવ્યું છે. ભક્તોની શ્રદ્ધાના પ્રતીક સમાન આ મુગટથી ભગવાન શામળિયા વધુ ઝળહળી રહ્યા છે.ભગવાનને અર્પણ કરવામાં આવેલો આ મુગટ ભક્તો દ્વારા અર્પણ કરાયેલા સોના-ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવ્યો છે. શામળાજી મંદિરમાં દૂર-દૂરથી ભક્તો કાળિયા ઠાકરનાં દર્શન કરવા આવે છે અને પોતાની શ્રદ્ધા અનુસાર ભેટ-સોગાદ અર્પણ કરે છે. આ ભેટ-સોગાદોનો ઉપયોગ મંદિરના વિકાસ અને ભગવાનના શણગાર માટે કરવામાં આવે છે.
આ કલાત્મક મુગટ અમદાવાદની શ્રીહરિ ક્રિએશન કંપનીના 10થી વધુ કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો છે. મુગટનું કુલ વજન 3 કિલો છે, જેમાં 700 ગ્રામ હીરા જડવામાં આવ્યા છે. આ ઉપરાંત, મુગટમાં કલગી અને કુંડળ સહિત નવરત્નો પણ જડવામાં આવ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. આ ભવ્ય મુગટને બનાવવામાં લગભગ 3 મહિનાનો સમય લાગ્યો હતો, જે કારીગરોની મહેનત અને કલાત્મકતાનો પુરાવો છે. ખાસ વાત એ છે કે, કારીગરોએ મજૂરી પણ માફ કરી દીધી છે, જે તેમની ભક્તિ અને સમર્પણને દર્શાવે છે.

Tags: crown giftgujaratshamalaji
Previous Post

અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન

Next Post

કેનેડામાં સુરતના યુવકની હત્યા :પાડોશીએ ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કેનેડામાં સુરતના યુવકની હત્યા :પાડોશીએ ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી

કેનેડામાં સુરતના યુવકની હત્યા :પાડોશીએ ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી

કેરળ-આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની શક્યતા

કેરળ-આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની શક્યતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.