પશ્ચિમ બંગાળમાં વક્ફ એક્ટ હિંસા વિવાદ વચ્ચે, ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ કહ્યું- મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો બની ગયા છે. બંગાળી હિન્દુઓ બેઘર છે, રાહત શિબિરોમાં ખીચડી ખાવા માટે મજબૂર બન્યા છે. તેમનો શું વાંક છે? તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ ભાજપે નહીં, પણ મમતા બેનર્જીએ વધાર્યો છે. તે સમુદાયો વચ્ચેની શાંતિ હડોંળી રહ્યા છે.
બુધવારે, મમતા બેનર્જીએ ઇમામોની સભામાં કહ્યું હતું કે મુર્શિદાબાદમાં થયેલા રમખાણો પ્રી-પ્લાન્ડ હતા. આમાં ભાજપ, BSF અને કેન્દ્રીય એજન્સીઓની મિલીભગત હતી. આ રમખાણો બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશમાં બોલાવીને ભડકાવવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું- યુપીના સીએમ યોગી મોટી મોટી વાતો કરી રહ્યા છે. તેઓ સૌથી મોટા ભોગી છે. તેમજ, મમતાના આરોપોના જવાબમાં, બીએસએફના એક અધિકારીએ કહ્યું કે ઘૂસણખોરી દ્વારા હિંસા ફેલાવવાની વાત ખોટી છે. બાંગ્લાદેશ સરહદેથી કોઈ ઘૂસણખોરી થઈ નથી. આ દરમિયાન, પશ્ચિમ બંગાળ પોલીસે મુર્શિદાબાદ હિંસાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. ટીમમાં નવ અધિકારીઓ હશે. ટીમની કમાન મુર્શિદાબાદ રેન્જના ડીઆઈજીને સોંપવામાં આવી છે.