જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લીધે હવાઈ સેવાઓને મોટી અસર પડી છે. આ હુમલા
દરમિયાન ઘણી ખરી ફ્લાઈટ મોડી પડી અને ઘણી ફ્લાઇટ કેન્સલ પણ થઈ છે. આજે એટલે કે, બુધવારે
અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી ફ્લાઇટમાં અત્યાર સુધી 38 જેટલી ફ્લાઇટ ડિલે થઈ હતી.
અમદાવાદથી જતી હનોઈની વાઇટજેટની ફ્લાઇટ એક કલાક જેટલી મોડી ટેક ઓફ થઈ હતી. બેંગકોકની
થાઈ લાયન એર ની ફ્લાઈટ પણ લગભગ 35 મિનિટ જેટલી મોડી ટેક ઓફ થઈ હતી. ચેન્નઈ અને
નાગપુરની ઈન્ડિગોની ફ્લાઈટ અડધો કલાક, કોલકત્તાની ઈન્ડિગોની ફ્લાઈટ 25 મિનિટ, દિલ્હીની
ઈન્ડિગોની ફ્લાઇટ 20 મિનીટ, દિલ્હીની એર ઇન્ડિયાની ફ્લાઈટ 25 મિનિટ, મુંબઈની એર ઇન્ડિયાની
ફ્લાઈટ 25 મિનિટ, કોલકાતાની ઈન્ડિગોની ફ્લાઇટ 15 મિનિટ, આ સિવાય દિલ્હી, પટના, દીવ અને
દિલ્હીની ઈન્ડિગોની ફ્લાઈટ ક્રમશઃ 35, 20, 15 અને 20 મિનિટ, આ સિવાય બેંગલુરુ, રાયપુર અને
અમૃતસરની ઇન્ડિગોની ફ્લાઈટ ક્રમશઃ 20, 30 અને 20 મિનિટ, દિલ્હી, કિશનગઢ, ચેન્નઈ, બેંગલુરુ અને
હૈદરાબાદની ઈન્ડિગોની ફ્લાઈટ 20 મિનિટની આસપાસ અને આ સિવાય બેંગલુરુ, દિલ્હી, નાગપુર,
મુંબઈ, હૈદરાબાદ અને ચંડીગઢની અલગ અલગ એર લાઇન્સની ફ્લાઈટ પણ 20 થી 25 મિનિટ
આસપાસ મોડી પહોંચી હતી.