ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંત સિંહ પન્નુએ દાવો કર્યો છે કે પટિયાલા કેન્ટ વિસ્તારમાં આર્મી સ્કૂલની દીવાલો પર ખાલિસ્તાન અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવ્યા છે. પન્નુએ વીડિયોમાં દીવાલ પર લખેલાં સૂત્રો બતાવ્યાં છે.
વીડિયોમાં આતંકવાદી પન્નુએ આર્મી સ્કૂલમાં ભણતાં બાળકોને પણ ઉશ્કેર્યાં હતાં. તેણે કહ્યું કે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તમારા પરિવારના સભ્યો મોતને ભેટી શકે છે. 1971ના યુદ્ધની જેમ માર્યા જશે. આર્મી સ્કૂલનાં બાળકોની જવાબદારી છે કે તેઓ પોતાના પરિવારને બચાવી લો. વીડિયો સામે આવ્યા બાદ પટિયાલા પોલીસે તપાસ શરૂ કરી છે.31 માર્ચે, આતંકવાદી પન્નુએ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે જલંધરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર ખાલિસ્તાની સૂત્રો લખાવ્યાં છે.31 માર્ચે પણ પન્નુએ પંજાબમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્લૌરના નાંગલ વિસ્તારમાં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર ખાલિસ્તાની સૂત્રો લખવામાં આવ્યાં છે.
આ કેસમાં જલંધર પોલીસે કાર્યવાહી કરી અને 2 આરોપીઓની ધરપકડ કરી. તેમની ઓળખ નાકોદરના સુખબીર સિંહ ઉર્ફે રાજન અને અવતાર સિંહ ઉર્ફે તારી તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તે બંને કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા આતંકવાદી પન્નુ સાથે જોડાયેલા હતા. તેમના નિર્દેશ પર જ તેમણે ખાલિસ્તાની સૂત્રો લખ્યાં હતાં.