પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાનવચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. સોશિયલ મીડિયામાં પહેલગામમાં થયેલા હુમલા પર લોકો પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની સલાહ આપતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ભારત તરફ પાકિસ્તાન પર સીધો હુમલો તો નથી કરવામાં આવી રહ્યો પણ ડિપ્લોમેટિક રીતે તેમને જવાબ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે
પાકિસ્તાન હાલમાં ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યું છે. ત્યારે અમેરિકાના ભારતને સંપૂર્ણ સમર્થનથી હતાશ પાકિસ્તાન હવે ચીન અને ગલ્ફ દેશો પાસેથી મદદ માંગી રહ્યું છે. આ દરમિયાન, પાકિસ્તાને કડક કાર્યવાહી કરી છે અને POKમાં કટોકટી જાહેર કરી છે. પાકિસ્તાનને ડર છે કે ભારત POK પર હુમલો કરી શકે છે. આ જ કારણ છે કે, તેણે POKમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેલમ ખીણમાં લાઉડસ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ છે. એટલું જ નહીં, લગ્નોમાં સંગીત વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મને એક સુસાઈડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઈશ: કર્ણાટકના મંત્રી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે. દરમિયાન, કર્ણાટક સરકારના ગૃહ અને લઘુમતી મંત્રી ઝમીર અહેમદ ખાનનું એક નિવેદન વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. પોતાના નિવેદનમાં, મંત્રી પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા માટે આત્મઘાતી બોમ્બ સાથે એકલા પાકિસ્તાન જવા માટે કહી રહ્યા છે.