ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ 7 મેના રોજ પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા પર ચિંતા
વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારતની લશ્કરી કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ છે. અમે વર્તમાન પરિસ્થિતિથી
ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન બંને એકબીજાના પડોશી છે અને ચીનના પણ પડોશી છે. ચીન
તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતાને પ્રાથમિકતા
આપવા અપીલ કરીએ છીએ. ધીરજ રાખો અને એવા પગલાં ન લો જેનાથી પરિસ્થિતિ વધુ જટિલ બની
શકે.