ભારતના ઓપરેશન સિંદૂર બાદ અલ કાયદાએ ભારતને ધમકી આપી છે.અલ કાયદાની AQIS શાખાએ એક નિવેદન જાહેર કર્યુ છે જેમાં કહેવામાં આવ્યુ કે પાકિસ્તાન પર ભારતના હુમલાનો જવાબ આપવામાં આવશે. આ નિવેદન અલ-સહાબ મીડિયા દ્વારા સામે આવ્યું છે.
અલ કાયદાની AQIS શાખાએ કહ્યું કે, “6 મે 2025ની રાત્રે ભારતની ભગવા સરકારે પાકિસ્તાનમાં છ જગ્યાઓ પર હુમલો કર્યો છે. ખાસ કરીને મસ્જિદો અને વસ્તીને નિશાન બનાવવામાં આવી છે જેમાં કેટલાક મુસ્લિમો શહીદ અને ઘાયલ થયા છે. અમે અલ્લાહના છીએ અને તેની તરફ જ પરત ફરીશું. અલ્લાહ શહીદોને જન્નતમાં ઉંચુ સ્થાન આપે અને ઘાયલોને જલ્દી સ્વસ્થ કરે, આમીન. આ હુમલો ભગવા સરકારના ગુનેગારોની યાદીમાં એક કાળો અધ્યાય છે.”
અલ કાયદાએ ધમકી આપતા કહ્યુ કે, “અમે સ્પષ્ટ કહીએ છીએ કે મુસલમાનો માટે ભારત વિરૂદ્ધ આ જિહાદ છે. ફરજ છે કે અલ્લાહનું નામ બુલંદ કરો, ઇસ્લામ અને મુસલમાનોની સુરક્ષા કરો અને પીડિત લોકોની મદદ કરો. હવે ઉપખંડના મુસ્લિમોએ તેમના સમર્થનમાં ઉભા રહેવું જોઈએ. અમે શપથ લઈએ છીએ કે અલ્લાહની મદદથી અમે ત્યાં સુધી લડીશું જ્યાં સુધી અમે મુસ્લિમો પર થયેલા તમામ અત્યાચારોનો બદલો ન લઈએ અને અલ્લાહનું નામ બુલંદ ના થાય.”