જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ આજે ભારતના 52મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લેશે. વર્તમાન CJI સંજીવ ખન્નાનો કાર્યકાળ 13 મેના રોજ સમાપ્ત થયો હતો. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જસ્ટિસ ગવઈને પદના શપથ લેવડાવવામાં આવશે.CJI ખન્ના પછી જસ્ટિસ ગવઈનું નામ સિનિયોરિટી લિસ્ટમાં હતું. એટલા માટે જસ્ટિસ ખન્નાએ તેમનું નામ આગળ મૂક્યું. જોકે તેમનો કાર્યકાળ ફક્ત 7 મહિનાનો છે.
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરની તેમની પ્રોફાઇલ મુજબ, જસ્ટિસ ગવઈને 24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમની નિવૃત્તિની તારીખ 23 નવેમ્બર 2025 છે.જસ્ટિસ ગવઈનો જન્મ 24 નવેમ્બર 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તેમણે 1985માં પોતાની કાનૂની કારકિર્દી શરૂ કરી હતી. 1987માં બોમ્બે હાઈકોર્ટમાં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી હતી. અગાઉ તેમણે ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના pp સ્વર્ગસ્થ રાજા એસ ભોંસલે સાથે કામ કર્યું હતું.
1987 થી ૧1990 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. ઓગસ્ટ 1992 થી જુલાઈ 1993 સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં સહાયક સરકારી વકીલ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત થયા. 14 નવેમ્બર 2003ના રોજ બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી મળી. 12 નવેમ્બર 2005ના રોજ, તેઓ બોમ્બે હાઈકોર્ટના કાયમી જજ બન્યા.