આતંકવાદ વિરોધી અભિયાન તરીકે ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” નામની કાર્યવાહી શરૂ કરી જેના અંતર્ગત કાશ્મીરમાં હત્યા કરવામાં આવેલા નિર્દોષ નાગરિકોના બદલા રૂપે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવી નષ્ટ કરવામાં આવ્યા હતા. આ સૈન્ય કાર્યવાહી બાદ, બંને દેશો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે પાકિસ્તાનની આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા તે બાદ પાકિસ્તાનની સેના દ્વારા ભારત પર કાર્યવાહી કરવાની ધમકી મળવા લાગી હતી. જોકે, ભારતે તમામને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તાજેતરમાં નવી દિલ્હીમાં ફરજ બજાવી રહેલા એક પાકિસ્તાની અધિકારીને 24 કલાકની અંદર દેશ છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ અધિકારીને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે તેમની પ્રવૃત્તિઓ તેમના કૂટનીતિક દરજ્જા સાથે અસંગત હોવાનું જાણવા મળ્યું હતું.
બીજી તરફ, ભારત સરકારે પાકિસ્તાની અધિકારીઓ પર કડક કાર્યવાહી કરી છે અને તેમને 24 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. બધા અધિકારીઓ દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત છે. પંજાબ પોલીસે ભટિંડા આર્મી કેન્ટમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પાકિસ્તાનના સ્થાનિક સિમ કાર્ડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ આદેશ જેસલમેરમાં પણ લાગુ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનના મિત્ર તુર્કિયે પર ટ્રેડ સ્ટ્રાઇક
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ફક્ત રાજદ્વારી ક્ષેત્ર સુધી મર્યાદિત નથી, પરંતુ તેની અસર દેશના વેપારી વર્ગ અને સામાન્ય લોકોના નિર્ણયોમાં પણ સ્પષ્ટપણે દેખાય છે. તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યા પછી, ‘બાયકોટ તુર્કી’ ઝુંબેશને દેશભરમાં વેગ મળ્યો છે. મહારાષ્ટ્રના પુણેથી લઈને રાજસ્થાનના ઉદયપુર સુધી, વેપારીઓએ તુર્કીથી આયાત થતા માલનો બહિષ્કાર કરીને આર્થિક મોરચે તુર્કીને જવાબ આપવાની જાહેરાત કરી છે.