જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને કારણે તેના ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ત્યારે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા Let’s visit J and K કેમ્પેઇન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ માટે સૌપ્રથમ દેશના 2400 ટ્રાવેલ એજન્ટોનું પ્રતિનિધિ મંડળ જમ્મુ કાશ્મીર જશે અને ત્યાંના ટુરિઝમ ઉદ્યોગને પ્રમોટ કરશે. ટુરિસ્ટો ત્યાં કોઈપણ જાતના ડર વિના શાંતિપૂર્વક ફરી શકે તે માટે સુરક્ષાની ખાતરી અંગે ત્યાંના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ બેઠક કરવાનું આયોજન કરાયું છે.
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા વર્ષ 1951થી ચાલી રહ્યું છે. જેમાં દેશભરના 2400 ટ્રાવેલ એજન્ટો સંકળાયેલા છે. અમારા એસોસિએશનને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે અમારા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે હવે અમે જમ્મુ કાશ્મીરના ઠપ થયેલા ટુરિઝમને જીવંત કરવા માટે Let’s visit J&K’ કેમ્પેઇન હાથ ધરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલગામ હુમલો અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને કારણે જમ્મુ કાશ્મીરનું ટુરિઝમ ઠપ થઈ ગયું તેને સપોર્ટ કરવા માટે આ કેમ્પેઇન હાથ ધરવામાં આવશે. ત્યાંના ટુરિઝમ, હોટેલ ધારકો, ટેક્સી ઓપરેટરો તેમજ ગાઈડ સહિતનાને સપોર્ટ કરવા માંગીએ છીએ. જમ્મુ અને કાશ્મીર ભારતના શ્રેષ્ઠ સુંદર ફરવાના સ્થળોમાંનું એક છે. પહેલગામ, શ્રીનગર, ગુલમર્ગ સહિતના સ્થળોને પ્રમોટ કરશું. આ માટે આવતા મહિને અમે તમામ ટ્રાવેલ એજન્ટો જમ્મુ કાશ્મીર જવાના છીએ. અમે તમામ ટ્રાવેલરોને જમ્મુ અને કાશ્મીર ફરવા માટે વિનંતી કરશું. આ રીતે અમે એ બતાવવા માગીએ છીએ કે અમે જમ્મુ અને કાશ્મીર સાથે ઉભા છીએ.
જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 15 દિવસથી પહેલગામ હુમલા અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને કારણે ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. આ માટે અમે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીને પણ મળીશું અને એ વાતની ખાતરી કરીશું કે ત્યાં પૂરેપૂરી સિક્યુરિટી છે અને ટુરિસ્ટો શાંતિપૂર્વક ત્યાં ફરી શકે છે. અમે સૌ પ્રથમ પહેલગામને પ્રમોટ કરવા માગીએ છીએ કે જ્યાં આતંકવાદી હુમલો થયો. આ ઉપરાંત ગુલમર્ગ, શ્રીનગર અને સોનમર્ગ સહિતના હરવા ફરવાના સ્થળોએ અમે જશું અને ત્યાં લોકો ફરવા માટે આવે તે માટે પ્રમોટ કરશું. ખાસ કરીને સ્થાનિક જમ્મુ અને કાશ્મીરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરાયો છે તે ખૂબ જ નિંદનીય છે. જેથી અમે ત્યાં જઇશું અને લોકોને જમ્મુ કાશ્મીર ફરવા પ્રેરિત કરશું.