અમદાવાદમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં 241 મુસાફરોના જીવ ગયા હતા. આ દુર્ઘટનાની રાહત કામગીરી દરમિયાન તંત્રને અનેક વસ્તુઓ મળી આવી હતી, જેમાં સોનાના દાગીનાનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેર પોલીસે મૃતકોના પરિવારજનોને તેમની વ્યક્તિઓની વસ્તુઓ પરત મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રશંસનીય કામગીરી કરી છે. આ દુર્ઘટનામાં મૃતકના મૃતદેહ પરથી મળી આવેલ આશરે ₹4.5 લાખની કિંમતનો સોનાનો દાગીનો પોલીસે સઘન તપાસ બાદ તેમના પરિવારને સુપરત કર્યો હતો.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, “એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી, અમદાવાદ શહેર પોલીસે મૃતકના પરિવારને તેમના પ્રિયજનનો સામાન પાછો મળે તે સુનિશ્ચિત કરવા માટે અસાધારણ પ્રયાસો કર્યા. વીણાબેન અઘેડાના મૃતદેહ પરથી મળેલો 4-5 તોલા વજનનો સોનાનો દાગીનો, જેની કિંમત આશરે ₹4.5 લાખ હતી, તેને ઝીણવટપૂર્વક શોધી કાઢવામાં આવ્યો અને તેમના પરિવારને પરત કરવામાં આવ્યો. પરિવારે પોલીસની પ્રામાણિક કામગીરીની પ્રશંસા કરી અને તેમની સેવા પ્રત્યેની નિષ્ઠા બદલ આભાર વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ, આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રને તેમની અસાધારણ સેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન!