નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ 23 જૂન, 2025ના રોજ ગુરુગ્રામમાં સ્થિત એર ઈન્ડિયાના
મુખ્ય બેઝ પર ઓડિટ શરું કર્યું છે. આ તપાસમાં એર લાઈન્સની કામગીરી, ફ્લાઇટ શેડ્યુલિંગ, રોસ્ટર
(ડ્યુટી) જેવા અન્ય મહત્વના પાસાઓની ચકાસણી કરવામાં આવશે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન
જતી એર ઈન્ડીયાની ફ્લાઈટ AI171, બોઈંગ 787-8 ડ્રીમલાઈનર, ટેક-ઓફ બાદ થોડી જ વારમાં ક્રેશ
થઈ હતી, જેમાં 241 મુસાફરોના સહિત 279 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ ટાટા ગ્રૂપની આ
એરલાઈન પર કડક તપાસની માગ કરવામાં આવી રહી હતી.
ડીજીસીએના આઠ સભ્યોની ટીમે ગુરુગ્રામમાં એર ઈન્ડિયાના મુખ્ય બેઝનું ઓડિટ શરૂ કર્યું છે. સૂત્રોના
જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ત્રણ સભ્યોની ટીમ વાર્ષિક ઓડિટ કરે છે, પરંતુ આ વખતે વ્યાપક તપાસ
માટે મોટી ટીમની રચના કરવામાં આવી છે. આ ઓડિટમાં ફ્લાઈટનું સંચાલન, ફ્લાઇટ શેડ્યુલિંગ, રોસ્ટર
(ડ્યુટી)અને ઈન્ટિગ્રેટેડ ઓપરેશન કંટ્રોલ સેન્ટર (IOCC)ની વગેરે જેવી વસ્તુની જીણવટ પૂર્વક તપાસ
કરવામાં આવશે. જ્યારે બીજી બાજું આ જ એર લાઈન્સના કેટલાક કર્મચારીઓ સામે સુરક્ષા નિયમોના
ઉલ્લંઘન માટે કડક પગલા લેવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, એર ઈન્ડિયાની મેઈન ઓફિસ
હરિયાણાના ગુરુગ્રામમાં આવેલી છે.
20 જૂનના રોજ એરલાઈનને ફ્લાઈટ ડ્યૂટી ટાઈમ લિમિટના ઉલ્લંઘન માટે ત્રણ વરિષ્ઠ અધિકારીઓને
હોદ્દા પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો. જેના એક દિવસ બાદ 21 જૂન, 2025ના રોજ ડીજીસીએએ
એર ઈન્ડિયાના ફ્લાઈટ ઓપરેશન ઈન્સ્પેક્ટર્સ પાસેથી 2024ના આયોજિત અને અનાયોજિત નિરીક્ષણો,
ઓડિટ, કોકપિટ, રૂટ, રેમ્પ અને કેબિન નિરીક્ષણની વિગતો માંગી હતી. ડીજીસીએએ વિમાન ફ્લાઈંગ
પરિસ્થિતિનું 360 ડિગ્રી મૂલ્યાંકન કરવા વિશેષ ઓડિટનું કમિટીની રચના કરી છે.