તાજેતરમાં ભારતના પ્રધાન ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં
હાજરી આપી હતી. જ્યાં તેમણે પોતાના જીવનના અંગત અનુભવો શેર કર્યા હતા. તેમના માતા-પિતાના
સંઘર્ષ અને જીવનની બદલતી આકાંક્ષાઓએ તેમના જીવનને કેવી રીતે આકાર આપ્યો તેની વાત કરતાં
તેઓ ભાવુક થઈ ગયા. આ ઘટનાએ તેમના સાદગીભર્યા સ્વભાવ અને ન્યાયપાલિકા પ્રત્યેની તેમની
પ્રતિબદ્ધતાને ઉજાગર કરી.
નાગપુર જિલ્લા ન્યાયાલય બાર એસોસિએશનના કાર્યક્રમમાં CJI ગવઈએ જણાવ્યું કે તેઓ આર્કિટેક્ટ
બનવા માગતા હતા, પરંતુ તેમના પિતાનું સપનું હતું કે તેઓ વકીલ બને. તેમના પિતાએ આંબેડકરના
માર્ગે ચાલીને સમાજની સેવા કરવાની ઈચ્છા રાખી હતી, પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવાને કારણે
તેઓ પોતે વકીલ બની શક્યા નહોતા. ગવઈએ પોતાનું સપનું છોડીને પિતાની ઈચ્છા પૂરી કરી.
CJI કાર્યક્રમમાં કહ્યું કે, તેમના પિતાની ઈચ્છ હતી કે તેઓ ન્યાયાધીશ બને. CJIના પિતા આંબેડકરના
આદર્શોને અનુસરતા હતા. જ્યારે તેમના નામની ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે ભલામણ થઈ,
ત્યારે પિતાએ કહ્યું હતુ કે વકીલ બન્યા રહીત તો, માત્ર રૂપિયા પાછળ દોડીશ. જ્યારે ન્યાયાધીશ બનીશ
તો સમાજનું ભલું કરીશ.” ઉલ્લેખનીય છે કે, તેમના પિતાએ 2015માં અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ
તેમની માતા હયાત છે.