ઈરાનના શિયા ધાર્મિક નેતા ગ્રાન્ડ આયતુલ્લાહ નાસેર મકારીમ શિરાજીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે ફતવો જાહેર કર્યો છે. જેમાં ટ્રમ્પ અને
નેતન્યાહૂને અલ્લાહના દુશ્મન ગણાવ્યા છે અને વિશ્વભરના મુસ્લિમોને બંનેને મારી નાખવાનું કહેવાયું છે.
આ ઉપરાંત ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈને ધમકી આપનાર કોઈપણ વ્યક્તિ કે
સરકારને અલ્લાહનો દુશ્મન ગણવામાં આવશે. નોંધનીય છે કે, ઈરાનના શિયા નેતાઓ આયતુલ્લા અલી
ખામેનેઈને આપવામાં આવેલી ચેતવણીથી ગુસ્સે છે. એટલા માટે આ ફતવો જાહેર કરાયો છે.
અહેવાલો અનુસાર, ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ પરિવાર સાથે બંકરમાં છુપાયેલા
છે. તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે જો ઈઝરાયલ અને અમેરિકા હવે
ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરશે તો તેના પરિણામો ખરાબ આવશે. ઈરાન તેની સંપૂર્ણ
તાકાતથી જવાબ આપશે અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરશે. ખામેનીએ
દેશવાસીઓને ઈઝરાયલ પર ઈરાનની જીતની જાહેરાત કરીને ઉજવણી કરવા પણ કહ્યું છે.