Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

dharmendravaghela by dharmendravaghela
2025-07-05 13:01:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓડિસાની પુરીમાં શરૂ થયેલી ભગવાન જગન્નાથની રથયાત્રા આજે શનિવારે પૂર્ણ થશે. પુરીમાં જ ભગવાન જગન્નાથ હવે તેમના માસી ગુંડિચાના મંદિરમાં આરામ કર્યા પછી તેમના મંદિરમાં પાછા ફરવાના છે. આ દરમિયાન લાખો ભક્તો દર્શન માટે એકત્ર થયા છે. ભગવાને ગુંડિચા મંદિરમાં 9 દિવસ દિવ્ય વિશ્રામ લીધો હતો. હવે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમના મૂળ નિવાસસ્થાન શ્રીમંદિર પાછા ફરવાના છે. આ પવિત્ર યાત્રાને બહુડા યાત્રા કહેવામાં આવે છે. જે દર વર્ષે યોજાતી રથયાત્રાની પરત યાત્રા છે.
‘બહુડા’ શબ્દ ઓડિયા ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ ‘વાપસી’ થાય છે. આ દિવસે, ભગવાન ગુંડિચા મંદિરથી પાછા ફરે છે. ભક્તોની વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને પુરી શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બહુડા યાત્રા બહાર જતી રથયાત્રા જેવી જ છે. ફક્ત દિશા ઉલટી કરવામાં આવે છે. ત્રણેય વિશાળ રથ એટલે કે ભગવાન બલભદ્રના તાલધ્વજ, દેવી સુભદ્રાના દર્પદલન અને ભગવાન જગન્નાથના નંદીઘોષ પહેલાથી જ દક્ષિણ તરફ વળેલા છે અને હવે ગુંડિચા મંદિરના નાકાચણ દ્વાર પાસે પાર્ક કરેલા છે.
પુરીમાં સવારે 4:00 વાગ્યે મંગળા આરતીથી દિવસની શરૂઆત થઈ. તેની બાદ સૂર્યદેવ પૂજા કરવામાં આવી હતી. જ્યારે દ્વારપાલ પૂજા, ગોપાલ બલભ અને શકલ ધૂપ જેવા ધાર્મિક વિધિઓ કરવામાં આવી. સેનાપાતલાગી વિધિ દ્વારા ભગવાનને યાત્રા માટે તૈયાર કરવામાં આવ્યા હતા..પરંપરા મુજબ રથ ખેંચાણ દરમિયાન ભગવાનને માસી માતાના મંદિર (અર્ધસણી મંદિર) ખાતે થોડો સમય રોકાશે. ત્યાં તેમને પોડા પીઠા નામની ખાસ મીઠાઈનો ભોગ ધરાવવામાં આવશે. જે ચોખા, ગોળ, નારિયેળ અને દાળથી બનાવવામાં આવે છે.

Tags: jagannath purirathyatra return
Previous Post

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
પટણામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા
તાજા સમાચાર

પટણામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા

July 5, 2025

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.