Saturday, July 12, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

ડીઆરઆઈના અધિકારીઓને જોઈ બેડરૂમમાં સંતાયેલા વેપારીએ મોબાઈલ બારીની બહાર ફેંક્યો

dharmendravaghela by dharmendravaghela
2025-07-12 11:57:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિદેશથી દાણચોરીથી લવાયેલું સોનું ખરીદવાના આરોપસર ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટલિજન્સે (ડીઆરઆઈ) દાણચોરીની સિન્ડિકેટ સાથે કથિત રીતે સંકળાયેલા દાદરના વેપારીની ધરપકડ કરી હતી. ડીઆરઆઈની ટીમ વેપારીના ઘરે પહોંચી ત્યારે તપાસથી બચવા વેપારી બેડરૂમમાં સંતાઈ ગયો હતો અને ડિજિટલ પુરાવાનો નાશ કરવાને ઇરાદે મોબાઈલ ફોન બારીની બહાર ફેંકી દીધો હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.
ડીઆરઆઈએ શુક્રવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ દાદરના જી. ડી. આંબેડકર માર્ગ ખાતે રહેતા એન. વી. ઠક્કર (24) તરીકે થઈ હતી. મળેલી માહિતીને આધારે અધિકારીઓએ 11 એપ્રિલે બૅન્ગકોકથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચેલા બી. સી. શેઠને પકડી પાડ્યો હતો. તપાસ કરતાં તેની પાસેથી 6.30 કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. આ સોનાની 14 લગડી તેણે એક બૂટના સોલમાં સંતાડી રાખી હતી.
સોનાની કથિત દાણચોરી પ્રકરણે શેઠની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતાં આ સોનું તે તેના સાથી સી. સંઘવીને આપતો હોવાનું કબૂલ્યું હતું. ડીઆરઆઈએ આજે 12 એપ્રિલે સંઘવીને પણ પકડી પાડ્યો હતો.પૂછપરછમાં સંઘવીએ જણાવ્યું હતું કે શેઠ પાસેથી લીધેલું સોનું તે ઠક્કરને વેચતો હતો. ડીઆરઆઈના અધિકારીઓ સર્ચ ઑપરેશન હાથ ધરી ઠક્કરના ફ્લૅટમાં પહોંચ્યા હતા. જોકે તપાસથી બચવા તે બેડરૂમમાં સંતાઈ ગયો હતો અને પોતાનો મોબાઈલ ફોન પણ બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. પોલીસે ઠક્કરના મોબાઈલ ફોનને તપાસ માટે તાબામાં લીધો હતો. ઠક્કરે કબૂલ્યું હતું કે દાણચોરીથી લવાયેલું સોનું તે સંઘવી પાસેથી ખરીદતો હતો. છેલ્લાં ત્રણ વર્ષથી તે આ રીતે સોનું મેળવતો હતો, એવો દાવો અધિકારીએ કર્યો હતો.

Tags: dadargold smuggler gujarati arrestMumbai
Previous Post

દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી; અનેક દટાયા

Next Post

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

dharmendravaghela

dharmendravaghela

Related News

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે
તાજા સમાચાર

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

July 12, 2025
ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર
તાજા સમાચાર

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

July 12, 2025
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી; અનેક દટાયા
તાજા સમાચાર

દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી; અનેક દટાયા

July 12, 2025
Next Post
ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.