Thursday, August 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર: મોદી

ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PMનો જડબાતોડ જવાબ, અમારા માટે ખેડૂતોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે

dharmendravaghela by dharmendravaghela
2025-08-07 12:40:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકાએ ગઈકાલે ભારત માટે ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો ઝીંક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઈનકાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતમાં મોટું

નિવેદન આપ્યું છે કે, અમારા માટે ખેડૂતોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત ખેડૂતો,

માછીમારો અને ડેરી ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે.
નવી દિલ્હી ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતાં PM

મોદીએ કહ્યું કે, સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પર ખર્ચ ઘટાડવા પર કામ કરી રહી છે.

અમે ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. તેના માટે મોટી કિંમત ચૂકવવી પડે તો પણ

તૈયાર છીએ. ભારત તેના માટે તૈયાર છે. દેશમાં સોયાબીન, સરસવ, મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે

વધ્યું છે.ટ્રમ્પે ગઈકાલે ભારત પર ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે અમેરિકા હવે

ભારત પાસેથી કુલ 50 ટકા રેસિપ્રોકલ ટેરિફ વસૂલશે. ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવતાં તેમજ રશિયા

સાથે વેપાર સંબંધો ચાલુ રાખવા બદલ આ પગલું લીધુ હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ બંને દેશો વચ્ચે

ચાલી રહેલી વેપાર મંત્રણામાં નડતર રૂપ અમેરિકાની માગ સામે ભારતને ઝૂકવા દબાણ કરવાનો પ્રયાસ

પણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકાએ પોતાના કૃષિ-ડેરી બજાર માટે તકો ખુલ્લી મુકવા માગ કરી છે.

જો કે, કૃષિ અને ડેરી ક્ષેત્રે ટોચનું માર્કેટ ધરાવતુ ભારત આ માગ સ્વીકારવા તૈયાર નથી.
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, અમે ખેડૂતોની આવક વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા તેમજ આવકના

નવો સ્રોત ઉભા કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહ્યા છીએ. અમારી સરકારે ખેડૂતોની તાકાતને દેશની

પ્રગતિનો આધાર માન્યો છે. આથી છેલ્લા કેટલાક વર્ષોમાં જે નીતિઓ ઘડવામાં આવી છે, તે માત્ર મદદ

પૂરતી નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયાસ પણ હતો. પીએમ સન્માન નીધિથી

મળતી સહાયતા નાના ખેડૂતોને આત્મબળ આપે છે. પીએમ ફસલ બીમા યોજનાએ ખેડૂતોને જોખમો

સામે રક્ષણ પૂરુ પાડ્યું છે. સિંચાઈ સંબંધિત સમસ્યાઓ પીએમ કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી દૂર

થાય. નાના ખેડૂતોની સંગઠિત શક્તિ વધી છે. કો-ઓપરેટિવ અને સેલ્ફ હેલ્પ ગ્રૂપને આર્થિક મદદ પ્રદાન

કરવામાં આવી છે. પીએમ કિસાન સંપદા યોજનાએ નવા ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને સંગ્રહને વેગ

આપ્યો છે.

ખેડૂતો, માછીમારો, ડેરી ક્ષેત્રના હિત સાથે ક્યારેય સમાધાન નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક પરિષદમાં ભાગ લેતા કહ્યું હતું કે ખેડૂતોનું હિત

ભારતની ટોચની પ્રાથમિકતા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ક્ષેત્ર સાથે

સંકળાયેલા લોકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. પીએમ મોદીએ કોન્ફરન્સમાં કહ્યું હતું, “જો

મારે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે કિંમત ચૂકવવી પડે તો હું તેના માટે તૈયાર છું.

Tags: farmersindiamodi reply trump
Previous Post

અમેરિકાના જ્યોર્જિયામાં આર્મી બેઝ પર ફાયરિંગ, 5 જવાનો થયા ઘાયલ

Next Post

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ ગામ નજીક કાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઇજા

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના જ્યોર્જિયામાં આર્મી બેઝ પર ફાયરિંગ, 5 જવાનો થયા ઘાયલ
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના જ્યોર્જિયામાં આર્મી બેઝ પર ફાયરિંગ, 5 જવાનો થયા ઘાયલ

August 7, 2025
આતંકવાદી ફંડિંગ રેકેટ સાથે સંકળાયેલા બેને જમ્મુ કાશ્મીર પોલીસે દિલ્હીથી ઝડપી લીધા
તાજા સમાચાર

આતંકવાદી ફંડિંગ રેકેટ સાથે સંકળાયેલા બેને જમ્મુ કાશ્મીર પોલીસે દિલ્હીથી ઝડપી લીધા

August 7, 2025
પાકિસ્તાન પોતાના દેશમાંથી 13 લાખ અફઘાનિસ્તાનીઓને પરત મોકલશે
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન પોતાના દેશમાંથી 13 લાખ અફઘાનિસ્તાનીઓને પરત મોકલશે

August 7, 2025
Next Post
ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ ગામ નજીક કાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઇજા

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ ગામ નજીક કાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઇજા

ભાવનગર ભાજપના અગ્રણી યોગેશભાઈ બદાણીના ફેસબુક એકાઉન્ટમાં ભાજપ વિરોધી પોસ્ટથી ચકચાર

ભાવનગર ભાજપના અગ્રણી યોગેશભાઈ બદાણીના ફેસબુક એકાઉન્ટમાં ભાજપ વિરોધી પોસ્ટથી ચકચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.