Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

LPG ટેન્કર- કાર વચ્ચે ભયંકર અકસ્માત: ગેસ લીક થતા આજુબાજુના મકાનો-દુકાનોમાં લાગી આગ

પંજાબના હોશિયારપુર-ઝાલંધલર નેશનલ હાઇવે પરનો બનાવ: 2ના મોત, 50થી વધુ દાઝ્યાં

dharmendravaghela by dharmendravaghela
2025-08-23 11:50:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પંજાબમાં હોશિયારપુર-ઝાલંધલર નેશનલ હાઇવે પર એક એલજીપી ટેન્કર અને અન્ય વાહન વચ્ચે ટક્કર બાદ થયેલા ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે લોકોના મોત નિપજ્યા છે. જોકે, 50થી વધુ લોકો દાઝ્યા હતા.
મલતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે આશરે 10: 45 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. એલપીજી ટેન્કર બીજા વાહન સાથે અથડાયા પછી, ગેસ લીક ​​થવા લાગ્યો, જેના કારણે આસપાસના ચાર-પાંચ મકાનો અને 15થી વધુ દુકાનોમાં આગ લાગી ગઈ હતી. ઘણાં ગ્રામજનો પણ આગમાં ફસાયા હતા. જેમાંથી ઘણાં લોકો ઘરમાં સૂતા હતા, તેથી તેમને ભાગવાનો વધુ સમય ન મળ્યો. આ ઘટનામાં ઓછામાં ઓછા બે લોકોના મોત નિપજ્યા છે અને 50થી વધુ લોકો આગમાં દાઝ્યા હતા. જોકે, હજુ સુધી કેટલા લોકો ગુમ છે, તે વિશે કોઈ નક્કર માહિતી સામે નથી આવી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ટેન્કરે એક કારને ટક્કર મારી હતી, ત્યાર બાદ ગેસ લીક થવાના કારણે ધમાકો થયો અને આખાય વિસ્તારમાં આગ લાગી ગઈ હતી. તેજ હવાના કારણે ગેસ ફેલાતો રહ્યો અને તેની સાથે આગ પણ વધતી રહી. ગ્રામજનો પોતાનો જીવ બચાવવા ગમે ત્યાં ભાગી રહ્યા હતા. હાલ ઈજાગ્રસ્તોને હોશિયારપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં 5-7 લોકો એવા છે, જે ખૂબ જ ગંભીર રીતે બળી ગયા છે અને તેમને બીજી હોસ્પિટલ લઈ જવા કહેવામાં આવ્યું છે.આ દરમિયાન પોલીસે હોશિયારપુર-ઝાલંધર નેશનલ હાઇવે પર બેરિકેડ લગાવી દીધા છે અને વાહનોની અવર-જવર પર રોક લગાવી દીધી છે. જોકે, હજુ સુધી સ્થિતિ સંપૂર્ણ સ્થિર નથી થઈ. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ દુર્ઘટનાના કારણ અને નુકસાનની તપાસ કરવામાં આવશે.

Tags: aaglpg tanker car accidentPunjab
Previous Post

ચમોલીમાં આભ ફાટ્યું, થરાલીમાં તબાહી, મકાનો કાટમાળમાં ફેરવાયા

Next Post

હવે ફર્નિચર ઉપર ટેરિફ ઝીંકવાની ટ્રમ્પની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
હવે ફર્નિચર ઉપર ટેરિફ ઝીંકવાની ટ્રમ્પની તૈયારી

હવે ફર્નિચર ઉપર ટેરિફ ઝીંકવાની ટ્રમ્પની તૈયારી

સરકારનું સ્પષ્ટિકરણ!, TikTok સહિત ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ યથાવત

સરકારનું સ્પષ્ટિકરણ!, TikTok સહિત ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ યથાવત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.